નવસારીની હોટેલમાં ચીખલીની યુવતીના મોતનાં કેસમાં આજે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાશે

નવસારીની એક હોટેલમાં અંગત પળો માણવા આવેલ યુવતીનું મોત થયા બાદ પોલીસે યુવાનની અટક કરી ચાર દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે સાક્ષીઓને બોલાવી રૂબરૂ નિવેદન લઈને કાર્યવાહી આગળ વધારી હતી. તો ઘટનાનું રિકન્ટ્રશન પણ આવનાર દિવસોમાં કરાશેની પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું.નવસારી જિલ્લામાં ચિખલી પંથકમાં રહેતા ભાર્ગવ પટેલ એક ગામની યુવતીને પ્રેમમાં ફસાવી હતી.અને શરીર સબંધ માટે નવસારી ની એક હોટલમાં લઇ જતા શરીર સબંધ બાંધ્યા બાદ ગુપ્ત ભાગેથી ઘણું લોહી નીકળી જતા સારવાર માટે લઈ જવામાં બેકાળજી રાખતા યુવતીનું મોત થયું હતું. જે કેસમાં પોલીસે ભાર્ગવ પટેલ ઉપર સાપરાધ માનવ વધ અને પુરાવાનાં નાશનો ગુનો દાખલ થતાં ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતો. જેમાં રિમાન્ડ નાં પ્રથમ દિવસે જેનો સંપર્ક થયો તે બધા સાક્ષીઓ ને બોલાવી નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.તપાસ અધિકારીએ જણાવ્યું કે યુવતી સાથે ત્રણ વર્ષથી પ્રેમસબંધ હતો.અગાઉ તેમના વિસ્તારમાં એકાત વાળી જગ્યાએ લઇ જ યુવતી સાથે ભાર્ગવે શરીર સબંધ નો પ્રયાસ કયો પણ યુવતીને દુખાવો થતાં શરીર સબંધ બાંધવા યુવતી તૈયાર ન હતી.પણ હાલમાં પુનઃ સો.મીડિયા થી પરિચયમાં આવ્યા બાદ નવસારી આવ્યા અને દુર્ઘટના ઘટી હતી. તપાસ કરનાર પીઆઈ ડી. ડી. લાડુમોરેએ જણાવ્યું કે રિમાન્ડ નાં પ્રથમ દિવસે ભાર્ગવે જેના કોન્ટેક્ટ કર્યા તેમની યાદી બનાવીને નિવેદન લેવાની કાર્યવાહી કરી છે. જ્યારે બીજા દિવસે હોટેલમાં બનેલ ઘટનાના રીકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें