વડલાળા ગામે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સાકરતુલા અને સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો

 

જમીનમાં વધી રહેલી ખારાશ અંગે ચિંતા વ્યક્ત કરી ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવા અનુરોધ કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

ઔધોગિક ક્રાંતિ અને ખેતી ક્ષેત્રે આવી રહેલ બદલાવથી સરહદી ગામોમાં રોજગારીની નવી તકો ઉભી થશે:-અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી

રાધનપુર તાલુકાના વડલાળા ગામે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સાકરતુલા અને સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. સાકર તુલા પ્રસંગમાં જઈ રહેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું રસ્તામાં જૂના પોરાણા, નવા પોરાણા સહિતના ગામોમાં ઠેર ઠેર સ્વાગત અને ઉમળકાભેર અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, સમાજિક, સહકારી અને રાજકીય અગ્રણીઓ અને આસપાસના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વડલાળા ગામના પૂર્વ સરપંચ જીવણભાઈ ચૌધરી અને તેમના પરિવારજનો દ્વારા માનતા સ્વરૂપે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સાકર તુલા કરવામાં આવી હતી. જે અંતર્ગત મોમાઈ માતાના મંદિરે તેમનું જોખણું અને વધામણા પ્રસંગની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષના હસ્તે નવીન આંગણવાડીનું લોકાર્પણ કરી બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે ગ્રામજનોનો સ્નેહ, પ્રેમ અને લાગણી થી ભાવુક થયેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તમારા સ્નેહને માથે ચડાવું છું, આત્મીયતા અને પ્રેમને વ્યક્ત કરવા શબ્દો સુઝતા નથી એમ જણાવી સૌનો હૃદય પૂવર્ક આભાર માન્યો હતો. આજે મને એક દીકરાને મળે એવુ માન સન્માન અને વ્હાલ મળ્યા છે એમ જણાવી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વડલાળા ગામ સાથેનો નાતો અને જૂની યાદો તાજી કરી હતી. આજે ખૂબ રાજીપો થયો હોવાનું જણાવી અધ્યક્ષએ ગ્રામજનોને આવી જ ભાવના, ભોળપણ, સંપ અને એકતા રાખવા અપીલ કરી હતી. દેવાનું કશું ન હોય તો દયા રાખવા, બાળકોને ભણાવવા, વ્યસનો ત્યજી દેવા તેમજ ખોટા સામાજિક ખર્ચ ન કરવા અનુરોધ કર્યો હતો.

વધુમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે, નર્મદા મૈયાના પાણી આ વિસ્તારમાં પહોંચતાં જીવન બદલાયું છે. પાણી ન હતું ત્યારે કેવા દિવસો હતા એ યાદ કરી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સૌ ગ્રામજનોને વિનંતી કરી હતી. જમીનમાં વધી રહેલી ખારાશ અંગે ચિંતા વ્યક્ત કરતાં અધ્યક્ષશ્રીએ ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો. આગામી સમયમાં કચ્છના રણમાં એક લાખ કરોડનું રોકાણ થવાનું છે, ચારણકા જેવા એક હજાર પ્લાન્ટ આ વિસ્તારમાં બનવાના છે. પાટણ અને બનાસકાંઠાના સરહદી ગામોમાં રોજગારીની નવી તકો ઉભી થશે. ઔધોગિક ક્રાંતિ સાથે ખેતી ક્ષેત્રે આવી રહેલ લેયર પદ્ધતિ આ વિસ્તારની કાયા પલટ કરી દેશે ત્યારે જમીન બચાવી રાખવા અધ્યક્ષએ ખેડૂતોને અપીલ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકી, અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ જીતુભાઈ ચૌધરી, લાખણેશ્વર મઠના મહંત ગોવિંદગિરિ બાપુ, રાધનપુર એપીએમસીના ચેરમેન કનુભાઈ ચૌધરી, સંગઠનના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર સહિત સામાજિક સહકારી અને રાજકીય ક્ષેત્રના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें