સુરતના લાખો શહેરીજનોના જીવને જોખમમાં મુકતી બસ એજન્સી હંસા ટ્રાન્સપોર્ટ બસોમાં ડીઝલને બદલે બાયોડીઝલ કેમિકલ વપરાતું હોવાનો પૂર્વ કોર્પોરેટર દિનેશભાઇ કાછડીયાનો આરોપ કંઈક અજુગતું થશે અને ના કરે નારાયણ ને અમુક જાનહાની થશે પછી જ નિષ્ફળ શાસકોની આંખ ખુલશે : દિનેશભાઇ કાછડીયા પૂર્વ કોર્પોરેટર દિનેશભાઇ કાછડીયાએ બસોમાં વપરાતા ઇંધણ બાબતે શાસકો અને તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં ટ્રાન્સપોર્ટ એજન્સી હંસા ટ્રાવેલ્સની તમામ બસોમાં ડીઝલને બદલે બાયોડીઝલ કેમિકલ વપરાય છે તે ધ્યાનમાં આવ્યું છે. બાયોડીઝલ વપરાતા સુરતની લાખોની સંખ્યામાં બસોમાં રોજની અવર જવર કરતા શહેરીજનોના જીવના જોખમને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.બાયોડીઝલથી ચાલતું વાહન એક પ્રકારના જીવતા બોમ્બ સમાન છે તે સૂચિત કર્યું હતું.દિનેશભાઇ કાછડીયાએ શાસકોને ભીંસમાં લેતા જણાવ્યું હતું કે, લોકોના જીવની ચિંતા ભાજપ શાસકોને છે જ નહીં. આવા કૌભાંડથી ક્યારેક એવો બનાવ બનવાનો છે કે ચાલુ બસમાં બોમ્બ ધડાકો થશે અને 50 થી 60 લોકોના મૃત્યુ થશે ત્યારે શાસકો કુંભકરણ ની નીંદ્રામાંથી જાગશે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી.દિનેશભાઇ કાછડીયાના જણાવ્યા અનુસાર હાલમાં જ મહારાષ્ટ્ર પાસિંગના બે ટેન્કરો આ બાયો લિક્વિડ કોસાડ ડેપો ઉપર લઈને આવ્યા હતા અને ડેપોની અંદર મૂકી દેવામાં આવ્યા હતા. તેમજ રાતના સમયે આ ટેન્કરમાંથી આ જીવતા બોમ્બ સમાન કેમિકલ કાઢી બસની ડીઝલ ટાંકીમાં નાખતા હતા. દિનેશભાઇ કાછડીયાએ પ્રશ્ન કર્યો હતો કે આવા ગોરખધંધા કરનારને કોણ રોકશે..? વધુમાં દિનેશભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા કિલોમીટર દીઠ એજન્સીઓ ને પૂરેપૂરા રૂપિયા આપે છે,પરંતુ કોઈક અધિકારીની મિલીભગતથી આ ધંધો પુરપાટ ચાલી રહ્યો છે. અનેક વાર મારા દ્વારા આ વસ્તુ ઉજાગર કરવામાં આવી છે પરંતુ સીટી બસના અધિકારીઓને કોઈને કંઈ પડી નથી અથવા તો લોકોના જીવ માટે કોઈની પાસે ટાઈમ નથી, લોકોના જીવ જાય તો ભલે જાય પરંતુ અધિકારીઓને દર મહિને હપ્તા મળી રહે છે એ કાફી છે.વધુમાં દિનેશભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા કિલોમીટર દીઠ એજન્સીઓને પૂરેપૂરા રૂપિયા આપે છે,પરંતુ કોઈક અધિકારીની મિલીભગતથી આ ધંધો પુરપાટ ચાલી રહ્યો છે. અનેક વાર મારા દ્વારા આ વસ્તુ ઉજાગર કરવામાં આવી છે પરંતુ સીટી બસના અધિકારીઓને કોઈને કંઈ પડી નથી અથવા તો લોકોના જીવ માટે કોઈની પાસે ટાઈમ નથી, લોકોના જીવ જાય તો ભલે જાય પરંતુ અધિકારીઓને દર મહિને હપ્તા મળી રહે છે એ કાફી છે.આ સમગ્ર ઘોટાળા મામલે ખુદ મ્યુનિ. કમિશ્નર શાલિનીબેન અગ્રવાલ પણ અજાણ હશે અથવા તો બીજા કામોમાંથી નવરા પડીને આવા કૌભાંડોમાં ધ્યાન નહીં આપતાં હોય, જેથી કમિશ્નર મેડમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર ભોપાળાથી માહિતગાર કર્યા છે. હવે આગામી દિવસોમાં શું કમિશ્નર બસ એજન્સી અને તેને મળતીયા અધિકારીઓ પર પગલાં લેશે કે પછી સુરતના લાખો શહેરીજનોના જીવ સાથે થતો ખેલવાડ મુંગેમોઢે જોયા કરશે તે જોવું રહ્યું.

Author: Ashok kumar Jiyani
Co editor in chief