સુરતઃ મનપા દ્વારા શહેરમાં રવિવારે યોજાયેલી વિશેષ સફાઈ ઝુંબેશમાં ૩૧.૪ મેટ્રીન ટન કચરાનો નિકાલ થયો હતો. શહેરના ૯ ઝોન વિસ્તારમાં ૭૭૩ સફાઈ કામદારો સહિતનો સ્ટાફ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયો હતો. ૪૫ સંસ્થાઓને નોટિસ, ૭૦ હજારનો દંડ વસુલાયો હતો.ગુજરાતની વિકાસયાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાંને ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવાનું તથા સદર સમયગાળા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવાનું નિયત કરવામાં આવેલ છે. જે અન્વયે સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસ પદયાત્રા, લોકાર્પણ/ખાતમુહૂર્ત અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સુરત શહેરના વિવિધ વિસ્તારમાં ગ્રુપ-સફાઈ તથા આરોગ્યલક્ષી સફાઈ કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આજરોજ તા.૧૩/૧૦/૨૦૨૪ના રોજ સુરત શહેરના ઝોન દીઠ ૧ વિસ્તારમાં એમ કુલ ૦૯વિસ્તારમાં કુલ ૭૭૩સફાઈ કામદારો/બેલદારોસફાઈ ઝુંબેશ કરી૩૧.૪ મે.ટન ઘનકચરાનો નિકાલ કરી ૩૩૮૫ કિ.ગ્રા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ તેમજ સેનિટેશનના સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા ડસ્ટબિન તથા સ્વચ્છતા બાબતે૬૨૭ સંસ્થાઓ ચેક કરી, ૫૩.૭૫ કિ.ગ્રા અનધિકૃત પ્લાસ્ટિક જપ્ત, ૧૦૨.૩૫ કિ.ગ્રા અખાદ્ય પદાર્થનો નાશ કરી, ૪૫ સંસ્થાઓને નોટીસ આપી રૂ.૭૦,૩૦૦ વહીવટી ખર્ચ વસુલ કરવામાં આવેલ છે.સદર સફાઈ ઝુંબેશમાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓતથા રીસર્ચ રેલ્મ,આયુષ્મતી ફાઉન્ડેશન જેવા વિવિધ ટ્રસ્ટ પણ જોડાયાહતા.

Author: Ashok kumar Jiyani
Co editor in chief