સુરતઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજના તબીબોના આમરણાંત અનશનના સુરત નવી સિવિલ અને સ્મીમેર મેડિકલ કોલેજના તબીબોએ એક દિવસ ભૂખ હડતાળ કરી હતી. તબીબોની ભૂખ હડતાળને કારણે હોસ્પિટલમાં વ્યવસ્થાઓને કે દર્દીઓને કોઈ તકલીફ નહી પડે તેમજ ચિકિત્સા સેવા રાબેતા મુજબ ચાલે તેની પુરી તકેદારી રાખવામાં છે.કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજ મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યા મામલે સુરતમાં ફરી એકવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સુરત ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ સિવિલ અને સ્મીમેર મેડિકલ કોલેજના વિવિધ તબીબો દ્વારા મંગળવારે સવારથી ઓડિટોરિયમમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા.આઇએમએના પ્રમુખ ડો.સી.બી.પટેલે જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલના ૨૦૦ જેટલા અને નવી સિવિલ હોસ્પિટલના ૧૫૦ જેટલા તબીબો ભૂખ હડતાળ પર ઉતર્યા છે.આઈએમએનું તેમને સમર્થન છે.કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં કોલકાતા ખાતે તબીબો અનશન ઉપર ઉતર્યા છે. ન્યાય પ્રક્રિયા ઉપર ભરોસો પણ છે, પરંતુ આ પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. જે ઝડપથી ચાલવી જોઈએ તેમજ પીડિતાને ન્યાય મળવો જોઈએ, આરોપીને ઝડપથી સજા થવી જોઈએ. બીજી બાજુ તબીબોની આ ભૂખ હડતાળને પગલે હોસ્પિટલમા વ્યવસ્થાઓનેકેદર્દીઓને કોઈ તકલીફ નહી પડે તેમજ ચિકિત્સા સેવા રાબેતા મુજબ ચાલે તેની પૂરી તકેદારી રાખવામાં છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief