નૂતનવર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ તારીખ 2-11-24 શનિવાર ના રોજ apmc ઊંઝાના પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલે સાંજે 4 વાગે ધરતી એપાર્ટમેન્ટ, આંખની હોસ્પિટલ સામે, ઊંઝા યોજાયો હતો.
દિનેશભાઈ પટેલ દ્વારા ઊંઝા ખાતે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં આજુબાજુના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, સહકારી સંસ્થાના આગેવાનો, પ્રતિનિધિઓ તથા કાર્યકર્તાઓએ હાજર રહી નવીન વર્ષની ઉજવણી સાથે એક બીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.
દિનેશભાઇ એ અંત માં ઉપસ્થિત રહેનાર સૌ સ્નેહીજનો નો આભાર માન્યો હતો અને નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
