નર્મદા જિલ્લાના ફુલવાડી આશ્રમ શાળાના આચાર્યનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. જેઓ એસીબી ના છટકા મા શિક્ષક પાસેથી ૮ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતા શિક્ષણ જગતમા ચકચાર મચીજ્વા પામી છે. ઉચ્ચતર પગાર સુધારો અને એરિયર્સ મંજુર થઇ જતા ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી પણ શિક્ષકે એસીબી મા ફરિયાદ કરતા આ લાંચિયા આચાર્ય ઝડપાઈ ગયા હતા. બનાવની વિગત અનુસાર નર્મદા જિલ્લાના ઘાંટોલી આશ્રમ શાળાના શિક્ષકને વર્ષ ૨૦૧૯થી ઉચ્ચતર પગાર મળવા પાત્ર હોય જે ઉચ્ચતર પગાર અને એરિયર્સ મંજુર થયેલ ન હતું. પરંતુ, હાલમાં ઉચ્ચતર પગાર સુધારો તથા એરીયર્સ મંજુર થઇ જમા થયું હતું. જેથી ફૂલવાડી ફુલવાડી આશ્રમ શાળાના આચાર્ય અને ભરૂચ-નર્મદા આશ્રમશાળા કર્મચારી સંઘના પ્રમુખ રાજેશકુમાર શંકરલાલ ભટ્ટે શિક્ષકને જણાવેલ કે, તમારા ઉચ્ચતર પગાર તથા એરીયર્સ મંજુર થઇ બેન્કમાં જમાં થઇ ગયેલ છે. જેથી, તમારે મને મારા ૮ હજાર તથા અધિકારીના ૪ હજાર મળી કુલ ૧૨ હજાર આપવાના છે. પરંતુ, ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. તેઓની ફરીયાદના આધારે એસીબીએ વડોદરાથી પોઇચા જવાના રોડ ઉપર આવેલ નીલકંઠ રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસના રીસેપ્શન પાસે લાંચનું છટકું ગોઠવી રાજેશકુમાર શંકરલાલ ભટ્ટ (વર્ગ-૩) રહે. રોયલ સનસિટી, વડિયા, તા. નાંદોદ. જિ. નર્મદા, મુળ રહે. ઓરી, તા. નાંદોદ, જિ. નર્મદા)ને ફરિયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી લાંચ પેટે ૮ હજાર લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નર્મદા જિલ્લાની આશ્રમશાળાઓમાં કેવી પોલંપોલ ચાલે છે એ આ આચાર્યના કરતુતો પરથી લોકોને જાણવા મળે છે ત્યારે આશ્રમશાળા અધિકારી અને જિલ્લા કલેક્ટર આશ્રમશાળાઓની ઓચિંતી મુલાકાત લે અને સઘન ચેકીંગ કરે તો આશ્રમશાળાઓના વહીવટમા ચાલતી લાલિયાવાડી સહિત ઘણી બધી ચોકાવનારી હકીકત બહાર આવે તેમ છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief