સુરતની નવી સિવિલ હોસ્પિટલનો જેનેરીક મેડિકલ સ્ટોર દર્દીઓ માટે બિનઉપયોગી

સુરતઃ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર એટલે કે જેનેરીક સ્ટોરના સંચાલક પોતાની મનમાની કરી સ્ટોર ગમે ત્યારે બંધ અને ચાલુ રાખે છે. જોકે આ જન ઔષધિ એટલે કે જેનેરીક મેડિકલ સ્ટોર સોમવારથી શનિવાર રોજ ૨૪ કલાકને બદલે માત્ર ૧૨ કલાક જ ચાલુ રાખે છે તેમજ રવિવારના રોજ મેડિકલ સ્ટોર બંધ રખાતા હોવાથી સિવિલમાં આવતા દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં ઈમરજન્સી વિભાગમાં રવિવારે ગંભીર હાલત સહિતના ૨૦૦થી વધુ દર્દીઓ સારવાર માટે આવેછે. જેમાં કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના દદીઓ રાહત દરે મળતી દવા માટે જેનેરીક મેડિકલ સ્ટોરમાં જાય છે. પણ જેનરીક મેડીકલ સ્ટોર તા.૦૧ ડિસેમ્બર રવિવારના રોજ બંધ રાખ્યો હોવોથી અમુક દર્દીઓએ ના છૂટકે અન્ય મેડિકલમાંથી દવા લેવી પડે છે. જેથી તેઓનું આર્થિક ભારણ વધી જાય છે. જોકે સરકારે ગરીબ સહિતના દર્દીઓને ખૂબ જ રાહત દરે દવા મળી રહે તે માટે નવી સિવિલ હોસ્પિટલના જુના ટ્રોમા સેન્ટર ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર એટલે કે જેનરીક સ્ટોર ચાલુ કરવામાં આવ્યો છે. જોકે નવી સિવિલના જેનેરીક સ્ટોરના સંચાલકો પોતાની મનમાની કરી સ્ટોર ગમે ત્યારે બંધ અને ચાલુ રાખે છે. આ ઉપરાંત સિવિલમાં જેનરીક સ્ટોરવાળા સોમવારથી શનિવાર દરમિયાન સવારે ૮ થી રાતે ૮ વાગ્યા સુધી ચાલુ રાખે છે. જોકે સોમવારથી શનિવાર ૨૪ કલાકને બદલે માત્ર ૧૨ કલાક સ્ટોર ચાલુ રાખે છે. નવાઈની વાત એ છે કે, રવિવારે આખો દિવસ બંધ રાખે છે. જેથી પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રમાં દવા લેવા આવતા દર્દીઓ દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે. જાણે, રાજ્યના આરોગ્ય વિભાગે માત્રા સુરત સિવિલ જેનરીક દવાના સ્ટોરવાળા

ને અલગથી છૂટછાટ આપી હોય એવુ સિવિલમાં ચર્ચાઈ રહ્યુંછે. આ અંગે સિવિલના વહિવટી તંત્ર ગંભીરતા દાખવતા નહી હોવાનું સામે આવ્યુ છે.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें