સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ભારત દ્વારા સહ-પ્રાયોજિત એક પ્રસ્તાવનો સર્વસંમતિથી સ્વીકાર કરતાં 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ ઘોષિત કર્યો છે. આ નિર્ણય ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.
‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ના પ્રણેતા સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી પાછલાં 30 વર્ષથી સમર્પણ ધ્યાન સંસ્કારના માધ્યમથી ધ્યાનને જન-જન સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. પૂજ્ય સ્વામીજીએ પોતાના પ્રવચનમાં અનેકવાર કહ્યું છે કે આપણા પૂર્વજોની ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની સંકલ્પના કોરી કલ્પના નહોતી. ‘વસુધૈવ કુટુમ્બકમ્’નો અર્થ છે : આખું વિશ્વ એક પરિવાર છે, બધા સમાન છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’નો વિચાર યોગ પર આધારિત હતો. દુનિયામાં એવું કોઈ એક પુસ્તક નથી, કોઈ એવી એક ભાષા નથી, કોઈ એવો એક ધર્મ નથી જેને બધા માનતા હોય, જેનાથી એવું માની શકાય કે દુનિયા એક પરિવાર છે. યોગ જ એકમાત્ર માધ્યમ છે જેના માધ્યમથી મનુષ્ય મનુષ્ય સાથે જોડાય છે. આજે 72 દેશોમાં સમર્પણ ધ્યાન સંસ્કારના માધ્યમથી લોકો પોતાની આધ્યાત્મિક તેમજ સર્વાંગીણ પ્રગતિ કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આ નિર્ણયની પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ પ્રશંસા કરી છે અને ભારત દેશના આ પ્રયાસ માટે ખૂબ શુભેચ્છાઓ આપી છે. તેમણે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનો આ નિર્ણય સમગ્ર માનવજાતિ માટે લાભદાયી છે. આપણે બધાં પાછલાં 30 વર્ષથી 72 દેશોમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છીએ, આપણાં કાર્યને તો જાણે પુરસ્કાર મળ્યો છે! આમાં ભારત દેશના પ્રયત્નો પણ ખૂબ સરાહનીય છે.
ધ્યાન અંગે વધારે જાણકારી તમે ગુરુતત્ત્વ વૈશ્વિક મંચની વેબસાઈટ gurutattva.org પરથી અને યુટ્યુબ ચેનલ ‘ગુરુતત્ત્વ’ પરથી પ્રાપ્ત કરી શકો છો.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
