બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચિર હરણ થય રહ્યું છેઃ એડવોકેટ ઈતેશ મહેતા
દામનગરસ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિના ઉપક્રમે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ શિબિરમાં એડવોકેટ ઈતેશકુમાર મહેતાએ માનવ અધિકારનો અર્થ, મહત્વ અધિકારના પ્રકારો તેમજ માનવ અધિકારની આવશ્યકતા ઉપર અને દેશ અને દુનિયામાં માનવ અધિકારોને લઈને થતા કામો વિશે માહિતી આપી હતી. આ તકે એડવોકેટ ઈતેશકુમાર
તાલુકા કાનૂની સેવા સમિતિ, લાટી
દ્વારા આયોજીત કાનૂની શિક્ષણ શીબિર
મહેતાએ જણાવ્યું કે આપણા બાજુના દેશ બાંગ્લાદેશમાં માનવ અધિકારોનું ચિર હરણ થયેલું છે. તે રોકવા વિશ્વમાં માનવ અધિકારોની વાતો કરનારા આગળ આવવું જોઈએ
તેમ જણાવેલ. આ શિબિરમાં એડવોકેટ રાજેશ્વરી બેન રાજયગુરૂ પ્રિન્સિપાલ સંજયભાઈ રાણીપા તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
