May 13, 2025 12:34 pm

પીઢ પત્રકાર ગુમાવ્યા તેનું ખૂબ જ દુઃખ છે : ધારાસભ્ય જનક તળાવિયા 

દામનગરના પીઢ પત્રકાર હિંમતભાઈ ઈસામલિયાને ધારાસભ્યએ આપી શ્રદ્ધાંજલિ

અમરેલી જિલ્લાના દામનગર વિસ્તારના પીઢ પત્રકાર હિંમતભાઈ અમરશીભાઈ ઈસામલિયા નું સુરત ખાતે આવતાં થતાં સ્વર્ગસ્થ હિંમતભાઈ ના પરિવારને લાઠી બાબરા અને દામનગર વિસ્તારના ધારાસભ્ય જનક તળાવિયાએ મુલાકાત લઈ તેમને હુંફ આપી હતી અને પત્રકાર હિંમતભાઈના નિધનનું દુઃખ વ્યક્ત કર્યું હતું. 

દેશની ચોથી જાગીર કહેવાતા મીડિયા જગતમાં કામ કરતા અને સાચું પત્રકારત્વ કરતા એક પત્રકારનું જ્યારે નિધન થાય છે ત્યારે માત્ર તેના પરિવારે એક દીકરો, એક પતિ કે સગા સ્નેહીઓએ એક સંબંધીને ગુમાવ્યો તેવું ન કહી શકાય, પરંતુ લોકોના પ્રશ્નોને વાચા આપી અને સતત લોકોને ન્યાય અપાવનાર જનતાએ એક સાચો પ્રતિનિધિ ગુમાવ્યો તેવું કહી શકાય. ત્યારે અમરેલી જિલ્લાના દામનગર વિસ્તારના પીઢ પત્રકાર સ્વ હિંમતભાઈ અમરશીભાઈ ઈસામલિયાનું સુરત ખાતે અવસાન થતાં આજરોજ અમરેલી જિલ્લાના લાઠી બાબરા અને દામનગર વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ તેમના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને પીઢ પત્રકાર હિંમતભાઈ ઈસામલિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરી પરિવારને હુંફ આપી હતી. આ સાથે લોકોને સતત ન્યાય અપાવવામાં આગળ રહેલા હિંમતભાઈના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें