May 13, 2025 12:58 pm

ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિર,બ્રાહ્મણ શેરીમાં ભવ્યાતિભવ્ય શાકોત્સવ ઉજવાયો.

હિન્દુ ધર્મમાં પ્રસાદીનું ખાસ મહત્વ હોય છે, તેમાંય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શાકોત્સવ ની તો વાત જ અલગ છે.

ઊઝા શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મણ શેરીમાં મંદિરના સ્થાનિક ઉત્સાહી શાસ્ત્રી સ્વામી અનુપમ દાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી સુજ્ઞેશદાસજીની પ્રેરણાથી ભવ્યાતિભવ્ય શાકોત્સવનું આયોજન હરીભક્તોના સાથ -સહકારથી ખુબ સારી રીતે કરવામાં આવ્યું હતું.

સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી અનુપમદાસજીએ જણાવ્યું કે આ શાકોત્સવમા 140 કીલો બાજરી,150 કીલો રીંગણ, 60 કીલો શીરો, તથા 8 ડબા ધી નો ઉપયોગ શાકોત્સવની આ પ્રસાદ બનાવવામાં થયો હતો.

જેમાં બિલીયા સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી હરીનારાયણ સ્વામી આ શાકોત્સવ પ્રસંગે વિશેષ આશીર્વચન પાઠવ્યા હતા. ઊંઝા apmc પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલે પણ આ શુભ પ્રસંગે હાજરી આપી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ધામમાં આ શાકોત્સવનો પ્રારંભ કર્યો હતો. જેમાં 1500 કરતાં પણ વધુ હરિભક્ત ભાઈઓ અને બહેનો એ શાકોત્સવની પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo – 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें