અમરેલી ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કાર્યકર્તા બેઠક અને અમરેલી જિલ્લા સંગઠન ના નિમણૂંક પત્ર એનાયત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે આ સંસ્થા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આત્મારામ પરમાર સાહેબ (પુર્વ કેબિનેટ મંત્રી ગુજરાત
સરકાર), દિલ્હી થી પધારેલ રાષ્ટ્રીય અધ્યક્ષ સુરજીત કુમાર સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મહામંત્રી વિક્રમ ભાઈ ચૌહાણ, પ્રવિણભાઇ પરમાર(રાષ્ટ્રીય પ્રવક્તા), રાષ્ટ્રીય પ્રવક્તા રાજદિપ સિહ પટવાડી,કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ ભાણજી ભાઈ બગડા, નારાયણ ભાઈ અદાણી , ભગુભાઈ પરમાર,પી.ડી.સરવૈયા(નાયબ નિયામક
અ.જા.જુનાગઢ) જીલ્લા, સાબરકાંઠા જીલ્લા ના પ્રમુખ મણીભાઈ પરમાર, બોટાદ જીલ્લા પંચાયત ના પ્રમુખ મણીભાઈ પરમાર,વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા, પ્રદેશ કોષાધ્યક્ષ કિશોરભાઈ પરમાર, સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સંતવાણી ના આરાધક હરેશભાઈ માધડ દ્વારા સંત રોહીદાસ મહારાજ ના ભજન ની રમઝટ બોલાવી હતી,સંત શિરોમણી રોહીદાસ મહારાજ ના તૈલીચિત્ર ને ફુલહાર અને દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલ
મહેમાનોને નું શિલ્ડ,શાલ, અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા ના પ્રમુખ તરીકે યુવાન જીજ્ઞેશ દાફડા ની નિમણૂક થતાં તેમને પ્રદેશ કક્ષાએ થી નિમણૂંક પત્ર જીજ્ઞેશ દાફડા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ દરેક મહાનુભાવો દ્વારા જણાવાયું હતું કે આવનારા સમયમાં સમાજ શિક્ષિત બને અને વ્યસન મુક્ત બને અને સંગઠીત બને તેવા પ્રયાસ થી રોહીદાસ મહારાજ અને ડો બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન કાર્યોને પ્રચાર પ્રસાર થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જીજ્ઞેશ દાફડા ને જીલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય મહાનુભાવો ભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાભર માંથી ૩૦૦ થી વધારે લોકો ને સંગઠન સાથે જોડીને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ બપોરે ભોજન બાદ બધા છુટા પડ્યા હતા સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા બધા એ તાલુકા અને શહેર ની ટીમ ભારે જહેમત ઉઠાવી હતી તેમ જીલ્લા મહામંત્રી આશીષભાઈ રાઠોડ અને શરદભાઈ મકવાણા ની પત્રકાર યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
