પોતાની માનવતા ભૂલી નિર્દોષ જીવને કુહાડીથી ખોપરી ફાડી નાખી મરણતોલ હાલતમાં લોહીથી લથપથ તાત્કાલિક સારવાર અપાવી પરશુરામ ગ્રુપે બચાવી લીધો.

ચારેક દિવસ પહેલા અજાણ્યા વ્યક્તિ એ call કરી રખડતા કૂતરાની આ હાલત વિશે જણાવ્યું.

સેવકો તરત ત્યાં ડોક્ટરને લઈને પહોંચી ગયા.

માથાના ભાગમાં કુહાડી જેવું કઈક મારેલું હોવાથી અતિ ગંભીર હાલત જોતા જરૂરી ઈન્જેકશન આપી વધુ સારી અને જરૂરી ટ્રીટમેન્ટ થાય તે માટે તુરંત રાત્રે 7 વાગે વાનમાં અમદાવાદ વેટર્નરી હોસ્પિટલમાં લઇ જઈ ટાંકા લઇ જરૂરી તમામ સારી સારવાર આપી તે કુતરાને બચાવી લેવાયો.

જીવદયાપ્રેમી સુદીપભાઈનો પણ તેમને છેક સુધી સારો સહકાર મળ્યો હતો.

છેલ્લા દોઢેક વર્ષથી ઊંઝામાં પરશુરામ ગ્રુપ નામે 20 જેટલા યુવાઓનું જીવદયા કાર્ય ચાલે છે જેમાં ખાસ કરીને તેઓ પક્ષીઓ કે નાના પશુઓની અંતિમ વિધિની અને કુતરાઓની બીમારી કે ઘાયલ હોય ત્યારે દવા માટે ડોક્ટર લઇ જઈ ફ્રી માં સેવા અને સારવાર કરે છે.

આ સેવાકીય કાર્યમાં ધ્રુવ પટેલ (મુખી), શુભ પટેલ,નિકુલ પટેલ (ચકો), ઈન્કલ પટેલ, આશિષ પટેલ, માર્મિક ઠાકોર, ધ્રુવ ભીલ (પપ્પુ), કેનીસ સથવારા, મિત સથવારા વગેરે 20 જેટલા સભ્યો જોડાયેલા છે.

તેમના આ ઉમદા સત્કાર્યની સુવાસ આખા ઊંઝામાં ફેલાઈ ગઈ હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo -987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें