આ તકે ધારાસભ્યશ્રી જનકભાઈએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે બાળકો ઉતરાયણ પર્વ આનંદપૂર્વક ઉજવી શકે તે માટે પતંગ ચગાવતી વખતે સલામતી અને સુરક્ષા ખાસ ધ્યાન રાખવા અંગે માર્ગદર્શન આપેલ.
પતંગ અને ચીકીનું વિતરણ મકર સંક્રાંતિ પર્વના મહત્વને વ્યક્ત કરે છે. આ વિતરણ માત્ર પરંપરાગત પદ્ધતિ જ નથી, પરંતુ તેમાં રહેલું ભાવનાત્મક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય ખૂબ મહત્વનું છે.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી રંજનબેન ત્રિવેદીએ ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા અને લાઠી શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ સોનીનું સાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરેલ.
આ તકે અનિલભાઈ નાંઢા,વિનુભાઈ વિસનગરા, જયેશભાઇ ઠાકર, રોમિતભાઈ કોટડીયા, મગનભાઈ મકવાણા, રમેશભાઈ તકદીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
