સાંતલપુર તાલુકાના છાણશરા ગામ ખાતે મકરસંક્રાતિના દિવસે પ્રથમ વખત કોલી ઠાકોર સમાજના ઇષ્ટદેવ માંધાતા મહારાજ ની પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ
ખૂણે વસવાટ કરતા કોલી ઠાકોર સમાજના લોકો પોતાના વતન ખાતે પહોચીને વીર માંધાતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિતે ગામમાં શોભાયાત્રાને શરૂ કરી હતી જે ગામના વિવિધ વિસ્તારોથી પસાર થઈ પરત
ગામના ચાચર ચોક ખાતે પહોંચી હતી. જેમા મોટી સંખ્યામાં બાઈક, ગાડી અને સાધુ-સંતોની શણગારેલી બગીઓ સાથે મોટી સંખ્યામાં જનસમુદાય ઉમટયો હતો.અખિલ કોલી ઠાકોર જાગૃતિ મંડળ સમાજના
કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આગેવાનોએ વીર માંધાતાજીની આ પહેલી રેલીમાં ઉમટેલા જન સમુદાય અને શાંતિપૂર્વકના આયોજનને બિરદાવ્યું અને સમાજમાં કુપ્રથા, વ્યસનમુક્ત બનાવવા, સમાજની
એકતા સાથે શિક્ષણમાં રુચિ દાખવી આગળ આવવા આહવાન કર્યું હતું.જેમાં કોલી ઠાકોર સમાજના પ્રમુખ રતિલાલ અખીયાણી, ખેંગારભાઈ મઢુતરિયા , રૂડાભાઈ ભોરિયાણી, કનુભાઈ સૂરાણી, બાબુભાઈ ડુંગરાણી, કાનજીભાઈ ભેમદુકિયા, વાલાભાઈ ભોરિયાણી, દયાલભાઈ પગી, ધનાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર દશરથભાઈ રબારી પાટણ
