May 13, 2025 12:32 pm

લાઠીના પ્રતાપગઢ ભીંગરાડ છભાડીયા દામનગર , રોડ પરના પથ્થરના જર્જરિત નાળા-પુલીયા બનશે આર.સી.સી.ના ઘારાસભ્ય જનક તળાવીયાએ કરાવી અંદાજીત 50 લાખની ગ્રાન્ટ મંજૂર

લાઠી પંથકમાં વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા નાળા અને પુલીયાને નવું જીવન મળવા જઈ રહ્યું છે. લાઠી બાબરાના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાના પ્રયાસોથી સરકાર પાસેથી 50.લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે. આ ફંડથી લાઠીના પ્રતાપગઢ ભીંગરાડ .છભાડીયા દામનગર અને વિસ્તારોમાં રોડ પરના જર્જરિત પથ્થરના નાળા અને પુલીયાને આરસીસીના બનાવવામાં આવશે.

લાઠી પંથકમાં આવેલા આ નાળા અને પુલીયા વર્ષોથી જર્જરિત હતા, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમના પ્રયાસો સફળ રહ્યા અને સરકારે 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરી.

આ ગ્રાન્ટ મળવાથી લાઠી પંથકના લોકોમાં ખુશીનો માહોલ છે. વર્ષોથી જર્જરિત નાળા અને પુલીયા નવા બનવાથી લોકોને રાહત થશે અને તેમનું જીવન સરળ બનશે. ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આ વિકાસ કાર્ય માટે સરકારનો આભાર માન્યો છે અને આ વિસ્તારના લોકોને શુભકામનાઓ પાઠવી છે.

વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય વાત નહીં:

ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ હંમેશા વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપી છે. તેઓ વાદ-વિવાદમાં ન પડી વિકાસ કાર્યોમાં વ્યસ્ત રહે છે. લાઠી પંથકમાં આ મંજૂર થયેલી ગ્રાન્ટ તેમના આ સૂત્રને સાકાર કરતું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें