May 13, 2025 12:40 pm

સંત શિરોમણી ગુરુ રવિદાસજી ની 648 મી જન્મજયંતિ

12-2-2025 ને બુધવારે (માઘી પૂર્ણિમા) આવે છે તેની ઉજવણી ની તૈયારીના ભાગરૂપે આજ રોજ 19-1-2025 ને રવિવારે બપોરના 3.00 કલાકે જૂના સર્કીટ

હાઉસ, શાહીબાગ અમદાવાદમાં શ્રી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશ ના પ્રમુખશ્રી વિક્રમભાઈ ચૌહાણ ના અઘ્યક્ષ સ્થાને મળી હતી તેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા પૂર્વ ધારાસભ્ય શ્રી આર.એમ.પટેલ,

કાર્યકારી પ્રદેશ અઘ્યક્ષ શ્રી નારાણભાઇ અદાણી, ઉપપ્રમુખશ્રી નારણભાઈ મકવાણા, શ્રી મગનભાઈ સોલંકી, શ્રી ગોવિંદભાઈ ગોહિલ, શ્રી રમેશભાઈ ચૌહાણ, ડો.ગુલાબચંદ પટેલ, શ્રી મુળજીભાઈ ટી.પરમાર, શ્રી નરેન્દ્ર બાપુ, શ્રી સંદીપભાઈ સાગર, શ્રી મુકેશભાઈ પરમાર, વિગેરે તથા કાઉન્સિલર શ્રી

હીરાભાઈ, શ્રીમતી મિત્તલબેન મકવાણા, શ્રીમતી મણીબેન સોલંકી તથા સમાજના અગ્રણીઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રવિદાસ જી ના ભકતો સૌ સાથે મળીને રવિદાસ જન્મજયંતિ ઉજવણી અમદાવાદ શહેરમાં મોટર

બાઈક, સ્કૂટર, કાર રેલી શોભાયાત્રા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થી પ્રસ્થાન કરીને 35 કિલોમીટર ના રૂટ પર શહેર ના જુદા જુદા વિસ્તારોમાં ફરીને એનેકસી શાહીબાગ ખાતે સમાપન કરશે અને ડો.પ્રહલાદભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ મહાપ્રસાદ લઈને છૂટા પડશે. બેઠકનું આભાર દર્શન શ્રી કિશોરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें