ઢસા જંક્શન કેન્દ્રવતી શાળામાં ટ્રાફિક અવેરનેશ તથા પોકસો એકટનાં કાર્યક્રમમાં ઢસાગામ પોલીસ ઈન્સ્પેક્ટર એન. પી.રાઠોડ સાહેબે માહિતી આપી

ઢસા જંકશન કેન્દ્રવર્તી શાળામાં ઢસાગામ પોલીસ સ્ટેશનના પી.આઈ. એનપી રાઠોડ સાહેબનેઆ આમંત્રિત કરવામાં આવ્યા હતા રાઠોડસાહેબે વિદ્યાર્થીઓ સાથેના આ કાર્યક્રમમાં સડક સુરક્ષા વિષયક ખૂબ જ જીવન ઉપયોગી વાત કરી હતી. “સડક સુરક્ષા, જીવન રક્ષા” આ સૂત્ર સાથે રાઠોડ સાહેબે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું.રસ્તા ઉપર ચાલવામાં આપણે કઈ-કઈ કાળજી લેવી, વાહન ચલાવવામાં સિગ્નલ-લાઈનોનું કાળજીપૂર્વકનું નિરીક્ષણ કરી પછી જ ચાલવું, તેમણે હેલ્મેટથી થતા ફાયદાઓ અને તેના મહત્વ વિશે જણાવી હેલ્મેટ ફરજિયાત પહેરવા ઉપર ભાર મૂક્યો હતો. સાથે સાથે ચાલુ વાહને

મોબાઈલ વાપરવા ઉપર કેટલા

જોખમો રહેલા છે તે જણાવી કાર ચાલે કે સીટબેલ્ટ રાખવો અને સીટબેલ્ટના ફાયદાઓ પણ જણાવ્યા હતા. રસ્તા ઉપર ચાલનાર વ્યક્તિઓએ કેવી કેવી કાળજી લેવી જોઈએ તે વિશે સાહેબે બાળકોને જણાવી આર.ટી.ઓ. ના નિયમ મુજબ ૧૮ વર્ષ પહેલા ડ્રાઇવિંગ લાઈસન્સ મળતું નથી એટલે ૧૮ વર્ષ પહેલા કોઈપણ બાળકે વાહન ચલાવવું જોઈએ નહીં અને જો કોઈ વાહન ચલાવે તો તેના માતા પિતાને સજા કરવામાં આવે છે, તેમ જણાવી લાયસન્સ વગરના અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું. રાઠોડ સાહેબે પોતાના વક્તવ્ય સિવાય આ દરેક અકસ્માતો અને બનાવવાની વીડિયો કિલપ પણ શાળાના ટી.વી.સ્ક્રીન ઉપર

તસ્વીર : રાવાણી આસીફ ઢસાજંક્શન

દેખાડી હતી જેથી બાળકો સાચી વાત વધુ સારી રીતે સમજી શક્યા હતા આજે શાળામાં પ્રિવોકેશનલ કાર્યક્રમ અંતર્ગત એડોલેશન્ટન એજ્યુકેશન પ્રોગ્રામમાં જેન્ડર સમાનતા અને પોકસો એકટ વિશે ચર્ચા

ઢસાગામ પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ એન.પી. રાઠોડ સાહેબના વક્તવ્યની ગોઠવણી કરવામાં આવી હતી. રાઠોડ સાહેબએ જેન્ડર સમાનતામાં દિકરા-દિકરી એક સમાન અને આ સમાનતા માટે

નડતા સામાજિક રીત-રિવાજો, રૂઢિચુસ્તતા, લોકોની માનસિકતા, સામાજિક દુષણો વગેરેને દૂર કરી જેન્ડર સમાનતા સ્થાપવાની વાત કરી હતી. પ્રાથમિક શાળા હોવાથી પોક્સો એક્ટ વિશે જાણવું બાળકો માટે ખૂબ જ જરૂરી હતું. સાહેબે સમાજમાં ૧૮ વર્ષથી નાના બાળકો પર થતા અત્યાચારો-જાતીય શોષણો ને લગતો આ કાયદો છે તેમ જણાવી આ કાયદાની અમલવારી (અધિનિયમ-૨૦૧૨ )થી માહિતગાર કર્યા હતા.આ કાયદો ૧૮ વર્ષથી નાના દીકરા કે દીકરી ઉપર શારીરિક કે માનસિક અત્યાચાર કરીને કાયદાનો ભંગ કરનાર સામે કડકમાં કડક સજાની જોગવાઈ છે તે વિશે માહિતી આપી હતી. પોલીસ એ પ્રજાને ડરાવવા માટે નહીં પરંતુ પ્રજાના રક્ષણ માટે

તેમજ તેની સુરક્ષા માટે છે તે વિશે પણ સાહેબે પ્રકાશ પાડી પોલીસની કામગીરી વિશે માહિતીગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ઢસાગામ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે હાજર રહીને બાળકોમાં અનોખું આકર્ષણ ઊભું કર્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સુંદર પ્રશ્નો પૂછીને રાઠોડ સાહેબને પ્રભાવિત કર્યા હતા. શાળામાં બાળકોને હંમેશાં પ્રોત્સાહિત કરનાર રમેશભાઈ યાદવનું પણ આ તબક્કે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આમંત્રિત મેહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય મધુભાઈ ૫રમાર એ કર્યું હતું તથા આભાર વિધી અજયભાઈ વિશાણીએ કરેલ અને કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ મકવાણા એ કરેલ.

રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें