ખેડૂતોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ: સંબંધિત અધિકારીશ્રીઓને ઘટતું કરવા સૂચના
અમરેલી, તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ (શુક્રવાર) અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કરકોલીયા ગામની મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેક્ટર શ્રીએ
કરકોલીયા ગામના
ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને રજૂઆત સાંભળી હતી.
ખેડૂતોએ રિ સર્વે સહિતની બાબતોના પ્રશ્નો રજૂ કરતા તેનો સ્થળ પર હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર શ્રીએ આ કામગીરી માટે ઘટતું કરવા
પ્રાંત અધિકારી શ્રી, ડીઆઇએલ આર શ્રી સહિતના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ લોક સંવાદ માં પ્રાંત અધિકારી શ્રી અમરેલી,
પ્રાંત અધિકારી શ્રી લાઠી, ડીઆઇ એલ આર શ્રી તેમજ લાઠી તાલુકા મામલતદાર શ્રી અને અધિકારીશ્રી, કર્મચારી શ્રીઓ તેમજ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા તેમ લાઠી તાલુકા મામલતદાર શ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
