સ્વર્ગસ્થ હિંમતભાઇના દિવ્ય આત્માને પરમ શાંતિ માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

સત્ય વિચાર દૈનિક ન્યૂઝ પેપરના – પત્રકાર સ્વર્ગસ્થ હિંમતભાઈ

અમરશીભાઈ ઇસામલીયાનું ગત ૧૫મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ પ્રભુધામમાં ગમન થયું હતું. સ્વર્ગસ્થ હિંમતભાઈના

દિવ્ય આત્માને પરમ શાંતિ મળે અને હરદમ તેમની યાદગીરી જળવાઈ રહે તેવા શુભ હેતુ સાથે તેમની માતા લાભુબેન હિંમતભાઈ ઇસામલીયાએ પુત્રો સમક્ષ દ્વિતિય માસિક પુણ્યતિથિ નિમિત્તે ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થાન સંચાલીત ૩૬૫ દિવસની વૃક્ષારોપણની સેવાકિય પ્રવૃત્તિમાં સહયોગી બની દીર્ઘ આયુષ્ય ધરાવતા ૧૧ વૃક્ષો રોપવાનો નિર્ધાર વ્યક્ત કયૌ હતો. જે નિર્ધારને શિરોમાન્ય ગણી માતા-પિતાની આજ્ઞા સમજી સત્ય વિચાર દૈનિક પ્રેસ મિડીયાના તંત્રી

કિશોરભાઈ ઇસામલીયાએ તેમના બંધુઓ ભગીરથભાઈ અને કેતનભાઈ તેમજ મીત કિશોરભાઇ તથા પ્રકાશભાઇ દિયાળભાઈ મગતરપરાએ વૃક્ષારોપણ કરી ભાવથી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें