તાજેતરમાં નગરપાલિકા ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે તે મુજબ
રાપર-ભચાઉ નપાના પ્રમુખપદ માટે ર૭મીએ સામખીયાળીમાં સેન્સ પ્રક્રીયા હાથ ધરાશે
૧ માર્ચ સુધીમાં નવા સુકાનીઓના નામોની ઘોષણા કરવામાં આવશે
પ્રદેશ નિરીક્ષકો આવશે કચ્છ : સંભવત ઉમેદવારોના અલગ અલગ રીતે પક્ષની પ્રક્રીયા મુજબ સેન્સ મેળવાશે બન્ને નગરપાલીકાનાઓના સામખીયાળી ખાતે જ સેન્સ લેવાશે મજબુત અને સક્ષમ સંભવિત ઉમેદવારો દ્વારા શરૂ લોબીંગ કરાયુ છે
ગજેન્દ્ર સકસેના તથા ભારતસિહ ભટ્ટેસરીયા નીરીક્ષક તરીકે ર૭મીએ સામખીયાળી ખાતે રાપર-ભચાઉ ન.પા.ના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક, સત્તાપક્ષન નેતા સહિતનાઓના મામલે સેન્સ લેવા મા આવશે
ગુજરાતમાં તાજેતરમાં જ જુનાગઢ મનપા તથા ૬૬ નગરપાલીકાઓમાં ચૂંટણીઓ સંપન્ન થવા પામી છે. અને હવે તેમના પ્રમુખોની વરણીને લઈને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામા આવી રહી છે. આજથી એટલે કે તા. રપમી ફેબ્રુઆરીથી ર૭મી ફેબ્રુઆરી સુધીમાં આ માટેની સેન્સ પ્રક્રીયાનો આરંભ કરી દીધો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, નગરપાલીકાના પ્રમુખપદની પસંદગી પ્રક્રીયા રાજયભરમાં શરૂ થવા પામી રહી છે. કચ્છની રાપર તથા ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પદના દાવેદારો માટેની પણ પ્રક્રીયા પણ આરંભાઈ રહી છે. આગામી ર૭મી ફેબ્રુઆરીના રોજ પ્રદેશ નિરિક્ષકો કચ્છ પધારી રહ્યા છે. બન્ને નગરપાલીકા માટે બબ્બે પ્રદેશ નિરીક્ષકો ર૭મી ફેબ્રુઆરીના કચ્છ આવશે અને સામખીયાળી મધ્યે આ બન્ને નગરપનાલીકાના પ્રમુખોના સેન્સ લેવામા આવનાર હોવાનુ દેવજીભાઈએ જણાવ્યુ હતુ. નોધનીય છે કે, ભાજપની આગામી ર૮મી ફેબ્રુઆરી તથા માર્ચના રોજ પ્રદેશ પાર્લામેન્ટરી મળવાની હોવાથી તેમાં આ પ્રમુખ પદના નામોને અંતિમ કરવામાંઆવશે. એટલે ૧લી માર્ચ બાદ અથવા તો સુધીમાં નવા સુકાનીનીઓની જાહેરાતન થવા પામી જશે. ગુજરાતના જુનાગઢ મનપાને મેયર તથા ૬૬ નગરપાલીકાઓને પ્રમુખ મળવા પામી જશે તેમ જણાઈ રહ્યું છે
રિપોર્ટર દિલીપભાઈ રાપર કચ્છ
