May 13, 2025 12:37 pm

રાપર કચ્છ એકતાનગર સોસાયટી માં મહા શિવરાત્રિ નિમિતે ઉત્સાહભેર ભવ્ય ઉજવણી નીલકંઠ મહાદેવ મંદિરે મધ્યે કરવામાં આવી..

મહા શિવરાત્રિ નિમિતે હવન ,શોભા યાત્રા, ધ્વજા રોહણ,મહા આરતી,મહા પ્રસાદ તથા દાંડિયા રાસ ની ધામધૂમ થી ઉજવાણી કરવામાં આવી હતી.

હવન ના આચાર્ય શાસ્ત્રી બકુલભાઈ મારાજ હતા હવન ના યજમાન દિલીપસિંહ ગગાજી જાદવ અને દિલીપભાઈ રાઠોડ તથા ધ્વજા ચડાવવા ના યજમાન દેવરાજભાઈ આંબા ભાઈ આરેઠીયા તથા મહાપ્રસાદ યજમાન શ્રી વિસનજી ભાઈ નાનજી ભાઈ મીરાણી પરિવાર (હસ્તે બળવંત ભાઈ મીરાણી પરિવાર) તથા દિવેલ ૧ વર્ષ ના યજમાન અ.સો દિવાળીબેન ખીમજીભાઇ મીરાણી પરિવાર (હસ્તે ધીરજલાલ ખીમજીભાઇ મીરાણી) તથા દાંડીયા રાસ ન યજમાન રમેશભાઈ શિવરામભાઇ મારાજ અને ભગવાન ના વાઘાના યજમાન ઠક્કર ધરમશીભાઈ અમુલખભાઇ રહ્યા હતા.

શોભા યાત્રા એકતાનગર નીલકંઠ મહાદેવ મંદિર થી દેનાબેંક ચોક સુધી હતી શોભા યાત્રા માં દેનાબેંક મધ્યે નીલકંઠ મહાદેવ મંદિર તથા શ્રી સ્વામી નારાયણમંદિર અને શ્રી દશનામ ગોસ્વામી સમાજ ની શોભા યાત્રા દેનાબેંક મધ્યે સાથે થઈ હતી મહા કુંભ જેવો ત્રીવેણી સંગમ જેમ ત્રણે શોભા યાત્રા સાથે થઈ હર હર મહાદેવ નો નાથ ગુંજવ્યો હતો.શોભા યાત્રા માં ભીખુભા સોઢા તથા હઠૂ ભા સોઢા,ચાંદ ઠક્કર વિગેરે મહેમાનો પધાર્યા હતા . શોભા યાત્રા માં જલારામ ગૃપ ફૂલવર્ષા થી સ્વાગત કરવામાં આવ્યું અને ઠંડી છાશ ઠક્કર શ્રી બાબુલાલ દામજી પરિવાર તરફ થી જલારામ ગૃપ સહયોગ દ્વારા પીવડાવા માં આવી હતી.

નીલકંઠ મહાદેવ મંદીરે આમંત્રણ ને માન આપી ને પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા , વાડીલાલભાઈ સાવલા ,વિનુભાઈ થાનકી,કેસુભા વાધેલા,લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ વકીલ, ડોલરરાય મારાજ ,હમીરજી સોઢા,મિતુલ મોરબીયા, ડૉ.મઠ સાહેબ, ડૉ.મુકુંદ સાહેબ, ડૉ કનુજીપરમાર ,ડૉ સંદીપમાલી વિગેરે મહાદેવભક્તો પધાર્યા હતા.

રાત્રે દાંડીયારાસ માં લોકગાયક કેસુભા વાધેલા ,રોહિત ઠકકર,ભાવેશ ઠક્કર અને અંબિકા સાઉન્ડ સાથે રાસ ગરબા અને હર હર મહાદેવ નો નાથ ગૂંજ્યો હતો.

મહા શીવરાત્રી માં નીલકંઠ મહાદેવ કમિટી, મિત્ર મંડળ, એકતા નગર મહિલા મંડળ,એકતા નગર સોસાયટી મંડળ અને ઘનશ્યામ નગર સોસાયટી સાથે રહીને ધામ ધૂમ થી ઉજવણી કરવામ આવી હતી

રિપોર્ટર દિલીપભાઈ ઠક્કર રાપર કચ્છ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें