લાઠી તાલુકાનાં મહામંત્રી હજીરાધાર ગામ ના નિવૃત્ત તલાટી કમ મંત્રી શ્રી નારણભાઈ મકવાણા ના પુત્ર ને એડવોકેટ નવનીતભાઈ મકવાણા ની ભારત સરકાર દ્વારા લાઠી દામનગર ક્ષેત્ર માં નોટી તરીકે કાર્ય કરવા નિમણૂક થતા અમરેલી જિલ્લાના સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા (ખૂબ ખૂબ અભિનંદન) શુભેચ્છા પાઠવી
| મકવાણાનાં એડવોકેટ પુત્ર શ્રી નવનીતકુમાર નારણભાઈ | મકવાણાની ભારત સરકાર દ્વારા લાઠી/દામનગર ક્ષેત્રમાં નોટરી તરીકે કાર્ય કરવા નિમણુંક થતા વિશ્વ મહાપીઠ સંગઠનનાં રાજય, જિલ્લા તથા તાલુકા કક્ષાનાં હોદ્દેદારોએ તથા તમામ સમાજનાં રાજકિય આગેવાનો, કાર્યકરોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ અને દામનગર વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ નોટરી અંગેની સેવા તમામને મળશે।। તેવી હર્ષની લાગણી વ્યકત કરેલ. અત્રે ઉલ્લેખનીય છે કે એડવોકેટ શ્રી નવનીતકુમારનારણભાઈ મકવાણા દામનગર વિસ્તારનાં વણકર સમાજનાં પ્રથમ નોટરી એડવોકેટ હોય સમાજનું ગૌરવ પણ વધારેલ છે. તેમજ દામનગર વિસ્તારમાં સ્થાનીક નોટરી ન હોય એડવોકેટ શ્રી નવનીતકુમાર મકવાણાની સ્થાનીક ક્ષેત્રમાં ભારત। સરકારનાં નોટરી તરીકે નિમણુંક થતા નાગરીકોને નોટરીયલ
કામ કરાવવા જે હાલાકી ભોગવવી પડતી હતી તેમાં ખૂબજ સરળતા રહેશે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
