બનાસકાંઠા જિલ્લના ભાભરમા ગત 30 એપ્રિના રોજ સામાન્ય બાબતે દરબાર અને ઠાકોર વચ્ચે થયેલ ધીંગાણામા 5 ઈસમો ઘાયલ થતા મામલો બીચકાયો હતો. અને ઠાકોર સમાજ રોષ ફાટી નીકળ્યો હતો.અને ત્યાર બાદ ગણતરીના કલાકોમાં 7 જેટલા આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા હતા. ત્યાર બાદ ગતરોજ આરોપીને વાવ સર્કલ પર (ઘટના સ્થળે) લાવી રી- કંટ્રક્સન કરાયુ હતુ.
જયારે બીજીબાજુ આ ઘટનાના બીજા દિવસે ઠાકોર સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને ઠાકોર સમાજ દ્વારા શહેરમા મૌન રેલી નિકાળવામાં આવી હતી અને આ રેલીમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જોડાયા હતા. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભાભર ની બજાર ને બાન મા લીધી હતી અને બળ જબરી પૂર્વક ભાભર ની બજાર બંદ કરાવી હતી અને સાથે કેટલીક જગ્યાએ આ ટોળા દ્વારા તોડફોડ કરાઈ હતી જેનો ગુનો 3 મે ના રોજ ભાભર પોલીસ મથક ખાતે રાઉન્ડઅપ કરી ગુનો નોંધ્યો હતો.જેમાના કેટલાક ઈસમોની પોલીસ દ્વારા અટક કરવામાં આવતા આજે તોડફોડ કરનાર ઠાકોર સમાજના ઈસમોને પણ પોલીસ કાફલા સાથે જ્યાં તોડફોડ કરી ત્યા લઈ જઈ રી- કટ્રક્સન કરાયુ હતુ અને કાયદાનુ ભાન કરાવ્યું હતુ.!
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર. બનાસકાંઠા
