લોકશાહીના ચોથા સ્તંભ સમા સમાચાર માધ્યમના પત્રકાર દ્રારા શ્રી સુરેશભાઈ એસ.દેસાઈ – નું મોમેન્ટ તથા પેન આપી સેવાઓ બિરદાવી સન્માન કરવામાં આવ્યું.
લોકશાહીની ચોથી જાગીર સમી સમાચાર માધ્યમના અને પત્રકાર એકતા પરિષદના કલમના ઉપાસકો થકી સતત 12 વર્ષથી ચાણસ્મા કન્યાશાળામાં કર્મયોગ કરી રહેલા ઉત્સાહી આચાર્યશ્રી સુરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું.
સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્રારા છેલ્લા બાર વર્ષથીનિષ્ઠાથી ફરજ બજાવતા ચાણસ્મા પ્રાથમિક કન્યાશાળાના કર્મશીલ આચાર્ય શ્રી સુરેશભાઈ દેસાઈ ની જિલ્લાફેર બદલી થતાં ચાણસ્માની શાળાના વિકાસ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા .આ શાળાની કાયાપલટ અને શૈક્ષણિક નવાચારો થકી શાળાને એક આગવી ઓળખ બનાવી છે.
શાળામાં પંચામૃત પ્રોજેકટ, ખુલ્લુ પુસ્તકાલય, મહાપુરૂષોના ડગલે…પ્રોજેકટ થકી એક આદર્શ ભારતીય નાગરિક ઘડતરનું ઉત્તમ કાર્ય બદલ જિલ્લામાં નોંધ લેવાઈ. આ પ્રવૃત્તિઓની સુવાસ સરકારશ્રીના શિક્ષણ વિભાગ સુધી પહોંચી એના ફળસ્વરૂપે જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત થયો. સતત શાળાને મંદિર અને બાળાઓને બાળદેવો માની એમને કરેલ આરાધના સરાહનીય. આવા નિષ્ઠાવાન અને ડાયનેમિક વ્યક્તિત્વ ધરાવતા આચાર્યશ્રીની બદલીથી ચાણસ્મા તાલુકે મોટી ખોટ પડશે. ચાણસ્માની સામાજીક પ્રવૃત્તિઓમાં અને કુદરતી આફત કે કોરોના કાળ દરમ્યાન રસીકરણ અને કોરોના બાબતે લોકજાગૃત્તિનું કાર્ય બિરદાવવા જેવું હતું.ચાણસ્માની સરકારી સંસ્થાઓ મામલતદાર કચેરી , તાલુકા વિકાસ અધિકારી.પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, આઈ.સી.ડી.એસ.વિભાગ ની પ્રવૃત્તિ હોય કે ચાણસ્મા નગરની સામાજીક સંસ્થાઓની વિવિધ પ્રવૃત્તિઓમાં એમની અગ્રેસરની અસરકારક ભૂમિકા સરાહનીય હતી.
ચાણસ્મા બેચરાજી તાલુકા રબારી સમાજની એમની પ્રવૃત્તિઓ અન્ય સમાજ માટે પ્રેરણાદાયી બની રહી.આવા કર્મઠ સારસ્વત સુરેશભાઈ ની બદલી થી ચાણસ્મા નગરને મોટી ખોટ સાલશે.આવું વિરલ વ્યક્તિત્વ ની ગેરહાજરી ચાણસ્મા નગરે વર્તાશે. આમ સરળ ,ઉત્સાહી.ભારોભાર હકારાત્મકતા , કાર્યકુશળ ,હોંશિયાર વહીવટકર્તા, સમાજપ્રેમી, બાળહિત , શાળાહિત જેઓના કેન્દ્રમાં છે એવા સુરેશભાઈના સન્માનમાં ઉપસ્થિત કમલેશભાઈ, નિખિલભાઈ, પ્રવિણભાઈ, મુકેશભાઈ રહી સેવાઓ યાદ કરી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
