પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામના વિધવા મહિલા પર પાંચ લોકો દ્વારા લાકડી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.
ત્યારે આ ઘટનામાં જોઈએ તો મહિલા જયારે પોતાની ભેંસો લઈને ખેતર વિસ્તારમાં જઈ રહી હતી જે દરમ્યાન અચાનક ભેંસો અન્ય માલીકના ખેતરમાં દોડી જતા મામલો ગરમાયો હતો ત્યારે આ બાબતે બોલાચાલી થતાં મહિલાને પાંચ લોકો દ્વારા મારામારી કરી હતી. ત્યારે ઘટનામાં મહિલાને શરીરના કાનના ભાગે બહેરાશ થઈ ગયેલ અને હાથે ફેક્ચર તેમજ પીઠ પાછળ માર વાગતા સોજો આવેલ હોવાથી બહેનને સરકારી રેફરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓર્થોપેડિક દવાની વધુ સારવાર ની જરૂર જણાતા અન્ય ખાનગી હોસ્પિટલ રીફર કરાયા હોવાનું જાણવા મળેલ છે. તો ઘટનામાં મહિલા અને એમની દીકરી દ્વારા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેશ પ્રમુખ જયાબેન ઠાકોર ને ફોન કરતા તાત્કાલિક જયાબેન હોસ્પિટલ પહોંચ્યા હતા અને સૌ પ્રથમ મહિલાને દવા કરાવી બાદમાં ફરિયાદ અર્થે રાધનપુર પોલીસ મથકે મોકલવામાં આવ્યા હોવાનું જયાબેન ઠાકોરે જણાવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
