Patan : રાધનપુર-સાંતલપુર ગ્રુપ જુથ યોજના અંતર્ગત આવતા ગામડાઓ માટે પૂરતો પાણી પુરવઠો પહોંચાડશે
રણ વિસ્તારમાં અગરીયાઓને ટેન્કરો મારફત પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે નર્મદા મેઈન કેનાલ આધારિત રાધનપુર- સાંતલપુર ગ્રુપ જુથ યોજના દ્વારા રાધનપુર તાલુકાના ૫૬ ગામો અને સાંતલપુર તાલુકાના ૭૦ ગામો મળી કુલ ૧૨૬ ગામો અને રાધનપુર શહેર સહિત કુલ ૧૨૬ ગામોને સાતુન મેઈન હેડવર્કસ ખાતે બનાવવામાં આવેલ ૬૦ એમ.એલ.ડી. ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ દ્વારા અલગ-અલગ રાઈઝીંગ મેઈન પાઈપલાઈન મારફત નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે સાંતલપુર તાલુકામાં સાંતલપુર થી આશરે ૫ થી ૪૦ કી.મી સુધી વિસ્તરેલા રણ વિસ્તારમાં ટેન્કરો મારફત પાણી પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા