નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ખાંભાના સહયોગથી નમ્રતાગ્રીન ફાઉન્ડેશનના પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા દીકરાના જન્મદિવસ નિમિતે વાત્સલ્ય સ્કૂલ દીવ ખાતે મનોદિવ્યાંગ બાળકો ને બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં દાંતાશ્રી રાજુભાઇ વાળા,કમેલશભાઈ પાટડિયા,ભગવતી સેન્ટિગ વાવડી,ધીરૂભાઈ રાજાભાઈ સોલંકી સહિતના દાંતાશ્રીના સહયોગથી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો જેમાં નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા,ભારતીબેન રાવલ,રાજેશ્રીબેન મકવાણા,કમલેશભાઈ શિયાળ,ભાવેશ વંશ,મેરુભાઈ બારૈયા,સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
