ઝિરવાણી અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે અને કોઈજ પ્રકારના નવા ગરબા ગવાતા નથી અહીંયા જૂના અને પ્રાચીન સમયમાં ચાલતા ગરબાને મહત્વ આપવામાં આવે છે. વિશેષ અહીંયા ગામમાં વર્ષોથી ફક્ત પુરુષો જ નવરાત્રી દરમિયાન રાસ ગરબે રમે છે અહીંયા સ્ત્રીઓ ગરબે રમતી નથી.
માતાજીના સાનિધ્યમાં ચાચર ચોકમાં નવરાત્રિના નવ દિવસ અહીંયા ગામનાં વડવાઓ દ્વારા જૂના અને પ્રાચીન રાસ ગરબા ગવાય છે. સાથેજ રાસ રમતા જોઈ સકો છો.
આ ગામમાં ક્યારેય કોઈ કલાકાર લાવવામાં આવ્યા નથી કે ડીજે દ્વારા કોઈ ગીતો,ગરબા નું આયોજન થતું નથી. અહીંયા ફક્ત ને ફક્ત જૂના અને પ્રાચીન ગરબાને મહત્વ આપવામાં આવે છે સાથેજ ગામનાં વડવાઓ દ્વારા મુખેથી ગરબા ગવાય છે.ગામના સ્થાનિક રહીશો
દ્રારા માતાજીની નિત્ય આરતી, પ્રસાદ સાથે ઝિરવાણી અને પ્રાચીન રાસ ગરબાની રમઝટ જામે છે.ત્યારે આજુબાજુ નાં લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં આ અનોખી નવરાત્રી મહોત્સવ જોવા ઉમટી પડે છે..
