શ્રાદ્ધના પવિત્ર પર્વ નિમિત્તે છેલ્લા 20 વર્ષથી સુરતની અંદર હરિઓમ બીલીયા સમિતિ, સર્વમંગલ ગ્રુપ ડીંડોલી, ગોગા સિકોતર મિત્ર મંડળ, ઉમિયા માતા મંદિર ડીંડોલી, અને ભાઠેના, સ્વામિનારાયણ મંડળ ભાઠેના અને ડીંડોલી તથા વિશ્વ માતા ગૌ સેવા અભિયોગ અને સમસ્ત સનાતની ભાઈઓ અને બહેનો દ્વારા સફરજન સેવા અવિરત પણે ચાલી રહેલ છે.
અને દર વર્ષે ની જેમ આ વર્ષે પણ
તારીખ 28 અને 29/9/24 ના રોજ કુલ 110 ભક્તો સુરત થી ડોંગ જિલ્લાના અંતરિયાળ ગામ જેવા કે
ભેસકાત્રિ,
કાલીબેલ,
સરવર,
પીપળી,
યશોદા દીદી આશ્રમ,
નિરાધાર પ્રભુજી આશ્રમ, શીવાનીમાળ,
પીપી સ્વામી આશ્રમ માલેગાંવ
જેવી જગ્યાએ જઈ ને આશ્રમ શાળાના બાળકોને
સફરજન 3000 નંગ ,
ફૂલવડીના પેકેટ 1500 નંગ,
પેન્સિલ કીટ 1500 નંગ
સંસ્કાર સિંચન 1500 નંગ
રોકડ 10 રૂપિયા ઘૌ
દાળ, તેલ, મગ, ચણા જેવી અનેક જરૂરિયાત વાળી ચીજ-વસ્તુનુ વિતરણ કરવામાં આવ્યું અને તેના થકી સનાતન ધર્મ નો પ્રચાર – પ્રસાર માટે સરસ પ્રયાસ કરવામાં આવ્યો.
અહેવાલ:- આશિષ પટેલ, ઐઠોર
