ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયુ છે. કોંગ્રેસના મુમતાઝ પટેલે ભાજપ સરકાર પર કરેલા આક્ષેપોનો ભાજપના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે રદિયો આપ્યો હતો.ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી આવકાર ડ્રગ્સ પ્રા. લિ. કંપનીમાંથી નશીલા પદાર્થ ઉત્પાદનનો પર્દાફાશ થયો હતો.જે અંગે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ દ્વારા એક ઇન્ટરવ્યૂમાં ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત હવે ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બની રહ્યું છે, કારણ કે ગુજરાત માંથી સતત ડ્રગ્સ ઝડપાય રહ્યુ છે. વધુમાં મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે પણ ૩૦ ટકા ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું હતું. પરંતુરહ્યું છે. ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપની સરકાર છે અને આ તેમના નાક નીચે ‘ ઉડતા ગુજરાત ચોક્કસપણે થઈ થઇ રહ્યું હોવાના આક્ષેપ મુમતાઝ પટેલે કર્યા હતા.મુમતાઝ પટેલના આક્ષેપો સામે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી, અને જણાવ્યું હતું કે મુમતાઝ પટેલ કોણ છે? ગુજરાત પોલીસની સક્રિયતાને કારણે આજે નશાના કારોબારનો પર્દાફાશ થઈ રહ્યો છે.પોલીસની સફળ કામગીરી માટે ગુજરાત પોલીસને અભિનંદન પાઠવીને તેઓએ મુમતાઝ પટેલે કરેલા આક્ષેપોનો રદિયો આપ્યો હતો. જ્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા પણ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે આપેલા નિવેદનને વખોડી કાઢતા જણાવ્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના સમયે ઉડતા પંજાબ બની ગયું હતું.જ્યારે ઉડતા પંજાબ સાથે ગુજરાતની તુલના કરવી અયોગ્ય હોવાનું તેઓએ જણાવ્યું હતું. ગુજરાત પોલીસની સક્રિયતાઓને કારણે ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પાર પડી રહ્યા નથી,અને પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief