પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અનેક વાર સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી ખાતે ઇલેક્ટ્રિક ઉપકરણો નો વેડફાટ કરતા કચેરી ચર્ચામાં રહી છે.ત્યારે ફરી વધુ એકવાર નર્મદા નિગમ કચેરી ખાતે અધિકારીઓની ગેર હાજરી દરમિયાન ઓફિસો માં ઇલેક્ટ્રીક ઉપકરણો ચાલુ જોવા મળ્યા હતા..
અધિકારીઓની ગેર હાજરીમાં ઓફિસો માં લાઈટો સહિત પંખા અને એસી ચાલુ જોવા મળ્યા હતા. ત્યારે સરકાર નાં નાણાં વેડફતા અને ઊર્જાનો બિનજરૂરી વપરાશ કરતા અધિકારીઓ સામે પગલાં ભરવા લોક માંગ ઉઠી છે..
રાધનપુરની નર્મદા નિગમ કચેરી ખાતે અગાઉ પણ ઘણીવાર ઊર્જાનો બિનજરૂરી વેડફાટ જોવા મળ્યો હતો .ત્યારે ફરી વધુ એકવાર કચેરીમાં અધિકારીઓની ગેર હાજરીમાં ઓફિસો ખુલ્લી જોવા મળી હતી જ્યારે ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે પંખા લાઈટો સહિત એસી ચાલુ હોવાનું સામે આવ્યું છે..
મહત્વનું છે કે નર્મદા નિગમ કચેરી ખાતે ચાલુ ફરજ દરમિયાન અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ચાલુ ફરજ દરમિયાન ઓફિસ ને બદલે બહાર નીકળી ઓફિસો માં લાઈટો પંખા ચાલુ મૂકી વીજળીનો વેડફાટ કરતા જોવા મળ્યા હતા.ત્યારે અધિકારીઓની ગેર હાજરી હોઈ અરજદારોને પણ ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા હતા.
આ બાબતે મીડિયા કર્મી કચેરીના ઉચ્ચ અધિકારીને વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે હાજર ન હોય તો ઓફિસ નો વિડિયો લઈ લો પરંતુ અધિકારીઓ સામે પગલાં ભરવાની વાત કરવામાં આવતી નથી ત્યારે મૌન સેવી રહેલા ઉચ્ચ અધિકારી પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે.
