દર વર્ષની જેમ ચાલુ વર્ષે ભાઈબીજ થી લાભપાંચમ સુધી અબોલ સેવા અનમોલ નેજા હેઠળ બાઈક દ્વારા જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝાના અંદાજે 45 સેવકો 3 ટિમ બનાવી જુદા જુદા ગામો માં ખસ – પાઠા પડવા – ચાંદા પડવા – સુકવો વગેરે જેવા ચામડીના રોગોથી પીડાતા રોગીષ્ઠ શ્વાનોની સારવાર માટે પ્રસ્થાન કર્યું.
જેમાં ટિમ 1 દ્વારા 27 સેવકો
ઊંઝા થી પાટણ – સિહોરી -થરા – દિયોદર – ભાભર – સુઈગામ – નડાબેટ – વાવ – થરાદ – ડીસા સુધીના રુટના ગામોમાં સેવા આપશે,
ટિમ 2 દ્વારા 12 સેવકો ઊંઝાથી ખેરાલુ – મોકેશ્વર ડેમ – સતલાસણા – દાંતાથી અંબાજી સુધીના ગામોના રોગીષ્ઠ શ્વાનોને સેવા આપશે,
ટિમ 3 દ્વારા ઊંઝા તાલુકાના ગામો માં રોગીષ્ઠ શ્વાનોને સેવા આપશે.
તેમની આ સેવાકીય પ્રવુતિની સુવાસ દેશભરમા ફેલાઈ ચુકી છે.
અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે વર્ષોથી એકધારા આશરે 3600 જેટલા રોટલા નિઃશુલ્ક ઊંઝા અને આજુબાજુના ગામડાઓ- ખેતરોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.
ઇન્ડિયા બુક, લિમ્કા બુક અને એશિયા બુકમાં પણ આ સેવાઓને કાયમી નોંધ રૂપે વિશેષ સન્માન મળ્યું છે.
અબોલ સેવા, અનમોલ સેવા.
જીવદયા એજ પ્રભુસેવા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
