ભાઈબીજ તા. 3/11 થી તા.5/11/24 દરમિયાન બાઈક ઉપર શ્વાન સેવા યાત્રાનું 3 ટીમો બનાવી 45 સ્વયંસેવકો દ્વારા જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું. આ સેવા યાત્રા મહેસાણા,પાટણ અને બનાસકાંઠા
જિલ્લા ના *215 કરતા વધુ ગામો* ની મુલાકાત લઇ *2180 કરતા વધુ ખસ – પાઠા પડવા – ચાંદા પડવા – સુકવો વગેરે જેવા ચામડીના રોગોથી પીડાતા શ્વાનો* ની સારવાર કરવામાં આવી. તથા તાજેતરમાં વિવાયેલ કુતરીઓને લાડુ ખવરાવવામાં આવ્યા.
સાથે સાથે જુદા ગામોમાં ખસથી પીડાતા શ્વાનોની સારવાર માટેના કેન્દ્ર પણ ઉભા કરવામાં આવ્યા.
રાજય ભરમાં ફરી-ફરીને આ સેવાઓનો લાભ વર્ષોથી અનેક દુઃખી-અબોલ જીવોને મળી રહ્યો છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
