ડાંગ અને તાપી જિલ્લાના સરહદીય વિસ્તારમાં આવેલ સિનોદ ગામ ખાતે લક્ઝરી બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ મુસાફરોને સુબીર સી.એચ.સી હોસ્પિટલ તથા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે ડાંગ જિલ્લાનાં કલેકટર મહેશભાઈ પટેલને આ ગોઝારા અકસ્માત ની જાણ થતાની સાથે જ તેઓ તુરંત જ ઇજાગ્રસ્તોનાં મુલાકાતે પહોંચ્યા હતા. અને ખબર અંતર પછી જરૂરી વ્યવસ્થાઓ કરી હતી.ડાંગ અને તાપી જિલ્લાની સરહદીય વિસ્તારમાં આવેલ સોનગઢ તાલુકાના સીનોદ ગામે મંગળવારે વહેલી સવારે ૩:૦૫ કલાકે સ્લીપર બસ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં મહારાષ્ટ્રથી અમદાવાદ જતી શ્રીનાથજીની સ્લીપર ક્લાસ બસ રજી.નંબર AR-01-R-1144 નાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ પલટી મારી જતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી.આ અકસ્માતમાં એક મહિલા (જેના નામ સરનામાની ખબર નથી તેણીની ઉંમર આશરે ૨૫ થી ૩૫ હોય )જેનું મોત નિપજયુ હતુ.અને બસમાં બેસેલ આશરે ૩૦ પેસેન્જરો પૈકી ૧૫થી ૨૦ જેટલા સ્ત્રી પુરૂષોને નાની મોટી ઈજાઓ પહોંચતી હતી.ત્યારે પ્રાથમિક સારવાર માટે પ્રથમ ડાંગ જિલ્લાની સુબીર સી.એચ.સી સેન્ટરમાં ૧૮ ઇજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા.ત્યારબાદ તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યારે આહવા સિવિલ હોસ્પિટલ માંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તો ને સુરત અને એકને વલસાડ રિફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ડાંગ જિલ્લા કલેક્ટર મહેશભાઈ પટેલ ઈજાગ્રસ્તો ની મુલાકાતે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તો ને તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની સૂચનાઓ આપી હતી. આ અકસ્માતને લઈને સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Author: Ashok kumar Jiyani
Co editor in chief