વાંસદા ચીખલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં તારીખ 8/12/24 ને સોમવારના રોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના લીમઝર ગામે ન્યાય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર લીમઝર ગામના ભગરપાડા ની જર્જરિત વર્ગ શાળાને તોડી પડાયા બાદ નવીન બિલ્ડીંગ ન બનાવાને કારણે 40 થી વધુ વિદ્યાર્થીને ત્રણ કિલોમીટરનો ધક્કો ખાવો પડે છે.શાળાના અભાવે 40થી વધુ વિદ્યાર્થીઓ હાલ અન્ય ફળિયાની શાળાએ જવા મજબૂર છે.વર્ગશાળા નવી બનાવવાની માંગ સાથે વિદ્યાર્થીઓ સાથે ધારાસભ્યશ્રી ની ન્યાય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું. ન્યાય યાત્રા માં કોંગ્રેસના આગેવાનો,ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો પણ જોડાયા હતા.આજે જ્યારે સરકાર દ્વારા શિક્ષણને પ્રાધાન્ય આપવાની કે મફત અને ફરજિયાત શિક્ષણની વાત થતી હોય તેવા સમયે 40 જેટલા વિદ્યાર્થીઓને પડી રહેલી તકલીફ વિશે શું આ સરકારને ખબર નથી?એ એક વિચારવા જેવો પ્રશ્ન થઈ પડે છે. રિપોર્ટર- ભરતભાઈ પટેલ

Author: Ashok kumar Jiyani
Co editor in chief