ડાંગ જિલ્લાનાં આહવાનાં પટેલપાડા ખાતે ૫૦ વર્ષ પહેલાની એક વિધવા મહિલાનાં કબજાની સરકારની ખાલસા કરેલ પડતર જમીન ઉપર બળજબરીથી કબજો કરવામાં આવેલ હોય ત્યારે આ ગેરકાયદેસર કબજો હટાવવામાં આવે અને પડતર જમીનનો કબજો વિધવા મહિલાને આપવામાં આવે અથવા સરકારમાં પરત લઈ જાહેર હિતનાં ઉપયોગમાં લેવા તથા સરકારની પડતર જમીન પોતાની મિલકત સમજી ખરીદી વેચાણ કરનાર સામે જમીન એક્ટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિધવા મહિલાએ ડાંગ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં મુદ્દાનો સમાવેશ કરવા લેખિતમાં રજૂઆત કરી છે.ડાંગ જિલ્લાનાં આહવાનાં પટેલપાડા ખાતે છેલ્લા ૬૫ વર્ષથી વસવાટ કરતા આઇતીબેન લાહનુભાઈ વારડેની ખાલસા થયેલ પડતર જમીન ઉપર ગેર કાયદેસર રીતે કબજો કરવા અંગે છ જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ડાંગ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં રજૂઆત કરેલ છે.ત્યારે આ રજૂઆતમાં જણાવવામાં આવ્યુ છે કે આહવા પટેલ પાડા માં આવેલ સર્વે નંબર ૧૭૬૬ પૈકી અંદાજિત ૧૦૦ × ૧૦૦ મીટરની જમીનના મૂળ જમીન ધારા ખેડૂત બાબલા ભાઈ સામજ્યાભાઈ પવાર હોય જેમની પાસેથી આઇતિબેનનાં પતિ દ્વારા જમીનધારકની સંમતિથી ઘર અને વાડા પ્લોટ માટે જમીન માંગેલ હતી અને આ જમીન ઉપર આઇતિબેન ઘર બનાવી તથા વાડાનો પણ છેલ્લા ૬૦ વર્ષથી ભોગવટો કરી રહ્યા છે.જો કે ગત તા.૦૮/૦૫/૨૦૨૪ નાં રોજ આઇતિબેનનાં ફળિયામાં રહેતા સાકીર બસીરભાઈ વાની તથા તેમની પત્ની જાયદાબેન તથા તેમના પુત્ર એઝાઝ, અબઝલ,સોહેલનાઓએ આઇતિબેનની જાણ બહાર અને તેમને સંમતિ લીધા વિના જ પોતાની ભેંસ તથા ઘાસ મૂકી અને મુખ્ય રસ્તાને અડીને તાર કમ્પાઉન્ડ કરી પાયા ઉપર આઇતિ બેનની પોતાની થાંભલીઓ નાંખેલ હતી એ થાંભલીઓ ઉપર એક લાઈન નાખી ગેરકાયદેસર બળજબરીથી ઇરાદાપૂર્વક કબજો જમાવી લીધો છે.તેમજ આ અંગે આઇતિબેન તેમને પૂછવા ગયા હતા ત્યારે આ તમામ વ્યકિત આઇતિબેનને ઠંડા અને લાકડાના ઘા ઝીંકી હુમલો કરેલ તથા જાતિ વિષયક અભદ્ર ગાળો આપી તેમને અપમાનિત કર્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ કહ્યું હતું કે,” ડાકણ ગટરમાં રહેલ કીડા સુવર ડાંગી ભુસ જેવા અવદ્ર શબ્દો બોલી તેમને જાહેરમાં અપમાનિત કરેલ તથા અમે ખૂબ ખતરનાક છીએ અમને કોઈ કાનૂન કાયદા નડતા નથી આમ કહી તને મારી નાખી શું અને તારી લાશ અહીં આવેલ ઝાડીમાં ફેંકી દઈશું તો પણ અમારો કોઈ કઈ બગાડી નહિ શકે કારણ કે અમે પોલીસવાળા છે હું પોલીસ અને આખી સરકાર મારા ખિસ્સામાં રાખું છુ.’ આમ વિધવા મહિલા આઇતિબેન ને આ પ્રકારની મારામારી અને ધાક ધમકીઓ આપી તેમના કબજાની જમીનમાંથી ભગાડવાની ઈરાદાપૂર્વકની ગેરવર્તણૂક કરેલ છે અને જોર જોરથી જણાવતા કે એ જમીન ચેતનભાઇ રામજી ભાઈ આહિરે પાસેથી ૧૨ લાખમાં વેચાતા લઈ લીધી છે.
રિપોર્ટર સંદીપ ચૌધરી ડાંગ
