રાધનપુરના પ્રેમનગર પ્રા.શાળામાં ઓરડાની ઘટ
રાધનપુર તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળામાં નવ વર્ષ અગાઉ ઓરડા જર્જીત થતા ઓરડાનું બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું ત્યારબાદ આજ દિન સુધીમાં નવીન ઓરડા બનાવવા મંજરી આપવામાં ન આવતા પ્રાથમિક શાળાના બાળકો હાલ ખુલ્લી જગ્યામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે જેથી શિયાળો,ઉનાળો ચોમાસુ ની ઋતુમાં ખુલ્લી જગ્યામાં બેસવા ના કારણે કેટલાક બાળકો ખાનગી શાળાઓમાં અધતન ટેકનોલોજી
સુવિધાઓ હોવાના કારણે સરકારી શાળાઓ છોડીને ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને ભણાવી રહ્યા છે બીજી બાજુ સરકારી શાળાઓમાં અધતન ટેકનોલોજીની વાતો તો પછી પરંતુ પ્રેમનગર પ્રાથમિક શાળાના બાળકોના નસીબમાં ઓરડા પણ નથી જેથી પ્રાથમિક શાળામાં 300 થી વધુ બાળકો ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે જેથી ઓરડાની વ્યવસ્થા પૂરી કરવામાં આવે તેવી વાલી ઓમા માંગણી ઉઠવા પામી છે.
રાધનપુર તાલુકાના અંતરીયાળ અને પછાત વિસ્તારોના બાળકો સહિતના વિદ્યાર્થીઓને મફત અને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે તે માટે સરકાર ભારે પ્રયત્નો કરી રહી છે. બીજી તરફ દિકરીઓને ભણાવવા માટે પણ સરકાર દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે. ત્યારે સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓની ઉણપ હોય તે પરિસ્થિતિમાં બાળક ભણે કઈ રીતે તે પણ એક પ્રશ્ન છે. હાલના સંજોગોમાં ખાનગી શાળાઓમાં પોતાના બાળકને ભણાવવા માટેની રીતસરથી હોડ લાગી
છે.લોકોના મનમાં ખાનગી શાળાઓમાં મળતી અત્યાધુનિક ટેકનોલોજી તેમજ સગવડોને ધ્યાને લઈ પોતાના બાળકને મોંઘીદાટ ફી ભરીને ખાનગી શાળાઓમાં મુકતા હોય છે ત્યારે સરકારી શાળાઓમાં અદ્યતન ટેકનોલોજીની તો વાત દુર રહી પરંતુ
વિદ્યાર્થીઓને બેસવા માટે પુરતા ઓરડાઓની પણ સગવડ નથી પ્રમનગર પ્રા.શાળામાં ધોરણ 1 થી 9 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળામાં માત્ર ત્રણ રૂમ હોવાથી શાળામાં વહેલી સવાર થી બપોર સુધી માં ધો.1 થી 5 સુધીના તમામ બાળકો અભ્યાસ કરે છે અને ધો.6 થી 9ના બાળકો ને બપોર થી સાંજ સુધી અભ્યાસ કરવામાં આવે છે તેમજ ખુલ્લી જગ્યામાં બેસાડી ને અભ્યાસ કરવામાં આવે છે તેમજ સિયાડો,ઉનાળો ચોમાસુ,ની ઋતુમાં બાળકોને અભ્યાસ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે.ચોમાસાની ઋતુમાં ખુલ્લી જગ્યામાં બાળકોને અભ્યાસ કરવો પડે છે જેથી કેટલાક બાળકો અભ્યાસ અર્થે પણ આવી શકતા નહિ ઉનાળાના ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે બાળકોને ખુલ્લી જગ્યામાં બેસવા પડે છે જેથી એસી વાડી ઓફિસમાં બેસનાર અધિકારીઓ દ્વારા નવીન જરૂરિયાત ઓરડા મંજૂર કરવામાં આવે તેવી ગ્રામજનો એ કરી હતી.
આ બાબતે પ્રમનગર પ્રા.શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ તેઓના વાલી ઠાકોર ખેતાજી,ઠાકોર પ્રતાપભાઈ એ જણાવ્યું હતું કે 9 વર્ષ અગાઉ ઓરડા જર્જીત થતા ઓરડાનું બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું ત્યારથી નવીન ઓરડા મંજૂર ન થતા હાલમાં 300 જેટલા બાળકો ખુલ્લી જગ્યામાં બેસીને અભ્યાસ કરે છે.શિયાળો,ઉનાળો ચોમાસુ ઋતુમાં બાળકો ખુલ્લી જગ્યામાં બેસવા થી બાળકો અભ્યાસ કરી શકતા નહિ ચોમાશા ની ઋતુમાં બાળકો ને ચાલુ વરસાદે ખુલ્લી જગ્યામાં બાળકો અભ્યાસ કરી શકતા નહિ જેથી કેટલાક બાળકો ચોમાસાની ઋતુમાં બાળકો અભ્યાસ અર્થે શાળાએ પણ જતા નહિ જેથી બાળકોના ભવિષ્યની ચિંતા કરીને સરકાર દ્વારા નવીન જરૂરિયાત ઓરડા મંજૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.
રાધનપુર તાલુકા શિક્ષણ અધિકારી એચ.આર.નાડોદાએ જણાવ્યું હતુંકે પ્રેમનગર પ્રા.શાળામાં ચાર રુંમ છે.બે પાળી થી બાળકોને અભ્યાસ કરાવામાં આવે છે.બાળકો ખુલ્લી જગ્યામાં બેસીને અભ્યાસ કરતા નથી જે બાળકો ખુલ્લી જગ્યામાં બેસે છે એ પ્રાર્થના કરવા બેઠા હશે.નવીન ઓરડા મંજૂર થઈ ગયેલ છે અને કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયેલ છે
પ્રેમનગર પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય સિંધવ રતુંભાઈ એ જણાવ્યું હતું કે ઘણા સમય અગાઉ અનિવાર્ય કારણોસર રૂમો પાડી દેવામાં આવ્યા છે જેથી અહી રૂમો ની ઘટ છે જેથી બાળકો ને બેસવામાં હાલાકી પડી રહી છે.નવીન ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે અને કામ પ્રોસેસ માં છે ટેન્ડર પણ અપાઈ ગયું છે.
રિપોર્ટર દશરથ ભાઈ રબારી/રાધનપુર
