ખેડૂતોના પ્રશ્નોને ખરી રીતે ઉજાગર કરતા – ભારતીય કિસાન તા. પ્રમુખ. ભાનુભાઈ પાનશેરિયા દ્વારા રેવન્યુ માગદર્શક-રમણીકભાઈ કોટડીયા ફ્રી સેમીનાર.
—- અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની ચમારડી ગામે શિવ લહેરી ગૌશાળામાં યોજાયો ખેડૂત માર્ગદર્શન કેમ્પ.
.તા.૧૫-૧૨-૨૦૨૪ એટલે ખેડૂત નેતા અને અખંડ ભારતના શિલ્પી તેમજ લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની નિર્વાણ તિથી આજે શ્રદ્ધાંજલી તો ખેડૂતોના પ્રશ્નોનો સરળતાથી ઉકેલ થાય તે છે. માટે તે દિવસ નિમિતે ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા તેમજ તાલુકા કારોબારી સમીતી અને જિલ્લા સહમંત્રી લાલજીભાઈ
વસ્તરપરાની રાહેદારી દ્વારા રાજકોટવાળા રેવન્યુ બાબતના નિષ્ણાંત એડવોકેટશ્રી રમણીકભાઈ કોટડીયાને ભાવથી આમંત્રણ પાઠવેલ અને વિનામુલ્યે ખેડૂત માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
તેમજ ખેડૂતોના ખેતીલાયક જમીનના પ્રશ્નોના નિકાલ માટે – રમણીકભાઈ વિનામૂલ્યે ફોર્મ પણ સાથે લાવેલ…….આ ફ્રિ સેમીનારમાં રેવન્યુમાર્ગદર્શક સાથે,વકીલશ્રીરાજેશભાઈ બોરીચા, સુરેન્દ્રનગરથી ડાયાભાઈ ખોખાણી (ફાર્મર ફ્રેન્ડ ચેનલ) તેમજ
અમરેલીથી નિવૃત પોલીશ કોન્સ્ટેબલ તેમજ ગૌપ્રેમી શ્રી વાડીયા ભાઈ ખુમાણ સર્વોએ ખેડૂતોના ખેતીવાડીના રેવન્યું પ્રશ્નોના ઉકેલમાં સહકાર આપવા સાથે જોડાયા હતા..બાબરા તાલુકા,લાઠી તાલુકા તેમજ આ કેમ્પમાં જિલ્લાના જુદા જુદા ગામોથી તેમજ જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રશ્નો લઈ બહોળી સંખ્યામાં ખેડૂતો માગદર્શન લેવા માટે પધારેલા હતા.
રેવન્યું એક્સપર્ટ માર્ગદર્શક એવા રાજકોટના નામાંક્તિ વકીલશ્રી રમણીકભાઈ કોટડીયાનું ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા સમીતી દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા તા.મંત્રી પરેશભાઈ કુંભાણી દ્વારા પકાવેલ અળસીના મુખવાસ પેકેજ આપી સન્માન કરવામાં આવેલ. આ
સેમીનારનાં રમણીકભાઈએ ખેડૂતોની ખેતીની વારસાઇ, જમીન સર્વે નંબરમાં આવતા પૈકી શબ્દ એટલે શું? કેવી જમીન ખરીદવી અને કેવી ના ખરીદવી, જમીન દસ્તાવેજ, તેમજ રીસર્વેમાં થયેલ ગોટાળા (ફેરફાર), પાણીના હલાણ, શેઢા, પાળા અને રસ્તાના ના પ્રશ્નો,
ખેડૂત ખાતેદાર સર્ટીફિકેટ, વારસાઇ હિસ્સા વહેંચણી, હક કમી, અન્ય હક, માપણીને લગતા અધરા પ્રશ્નો તેમજ લેન્ડ રેકર્ડના સચોટ અને સરળ ભાષામાં માહિતી આપી અને પ્રમાણિકપણે અને તાત્કાલિક ઉકેલ માટે
આશરે પંચાવન ખેડૂતોને વિનામૂલ્યે ફોર્મ આપી જરૂરી માહિતી આપી. ફોર્મ ભરાવી જલ્દી ઉકેલ માટેનું વિસ્તૃત માહિતી આપી. ખેડૂતોમાં પણ અધરા પ્રશ્નોના સચોટ અને સરળ માર્ગદર્શનથી સંતોષ અને આનંદ થયેલ… ….તેમજ ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે આજે ખેડૂત
નેતા અને અખંડ ભારતના ઘડવૈયા તેમજ સિંહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની નિર્વાણ તિથી છે.તો આજના દિવસે ખેડૂતોના પ્રશ્નો સાંભળી તેના ઉકેલના સરળ કરી પ્રમાણિકપણે સરકાર અને તંત્ર ઉકેલે એ જ સાચી શ્રદ્ધાંજલી છે..અને રેવન્યું વિભાગના પ્રશ્નો ખુબજ ભણેલને પણ અધરા લાગતા હોય છે તો જગતના તાત એવા અમારા અભણ ખેડૂતને ખુબજ અધરા લાગે છે..અને ખેડૂતો તેના પ્રશ્નો માટે જમીન માપણી (લેન્ડ રેકર્ડ) ઓફિસે કે મામલતદાર ઓફિસે જાય તો પણ ગોળ ગોળ જવાબ મળવાથી ખેડૂત કંટાળીને થાકી જતો હોય છે.તેના માટે ભારતીય કિશાન સંઘ હંમેશાં ખેડૂતોની સાથે છે.તેમજ સરકારના પોજેટીવ પ્રયાસ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત વળે અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી દૂર થઈ ગાય આધારીત પાકૃતિક ખેતી માટે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ખુબ જ આગ્રહ કરી રહેલ છે. પ્રાકૃતિક ખેતીથી દેશની તમામ જનતા તેમજ નવયુવાનો રોગમુક્ત બને અને દેશ સશક્ત, સમૃદ્ધ અને બલવાન બને તેમ જણાવ્યું, તેમજ ખેડૂતોને રેવન્યુ કે ખેતીલાયક જમીનના પ્રશ્નોના ઉકેલ સરળ અને ટૂંકમાં સાંભળવા યુ-ટ્યુબમાં રમણીકભાઈ કોટડીયાના વિડીયો સાંભળવા તેમ જણાવ્યુંહતું…તેમજ ભારતીય કિસાન સંઘ જિલ્લા સહમંત્રીશ્રી અને ગૌશાળાના ટ્રસ્ટી લાલજીભાઈ વસ્તરપરાએ ગાય આધારીત પ્રાકૃતિક ખેતી ઉપર ખુબજ સરળ અને વિસ્તૃત માહિતી આપી.અને જણાવ્યું કે બાબરા તાલુકામાં ઘણાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે પણ જે પ્રાકૃતિક ખેતી નથી કરતા તે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઘર દીઠ એક વિધાથી શરૂઆત કરે.નહીતર કેન્સર રોગનું પ્રમાણ ખુબજ વધતું જાય છે. ખડની દવા તેમજ કોરાજન દવાથી કેન્સરની થવાની શક્યતા વધારે છે, માટે તેનાથી દૂર રહેવા જણાવેલ.તેમ જ દેશી ગાયના છાણના ખાતર ત્રણ વર્ષો સુધી ગણ કરે છે. માટે દેશી ખાતર રાસાયણિક ખાતર કરતા દેશી ખાતર ઉત્તમછે.. .તેમજ લાઠી કિસાન સંઘ માંથી રામજીભાઈ ગુજરાતી, પ્રેમજીભાઈ મેંદપરા, બાબરા તાલુકામાંથી મધુભાઇ, હિરાભાઈ, માવજીભાઈ, હિતેશભાઈ, લાલજીભાઈ, ભોળાદાદા, કુકાવાવ તાલુકામાંથી ખોડાભાઈ સોજીત્રા તેમજ તમામ ખેડૂતભાઈઓનો ગૌશાળાના સંચાલકશ્રી ભૂપતભાઈ ખિમાણી દ્વારા આભાર માની કાર્ય અને વ્યવસ્થાને બિરદાવી હતી.
રિપોર્ટ by ગોવાભાઈ આહીર પાટણ
