તારીખ 05-01-2025 ને રવિવારના રોજ શ્રી મેલડી માતાજીની દિવ્ય પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ
શ્રી મેલડી માતા ભક્ત મંડળ, ઐઠોર ચાર રસ્તા, ઊંઝાના માઈ ભક્તો દ્વારા રખડતા કુતરાઓની નિસ્વાર્થ સેવા કરવાના હેતુસર 21 મણ લોટના લાડુ શ્રી
અચલેશ્વર મહાદેવ (મોલ્લોત પાટી)ની વાડી,ઊંઝામા બનાવીને સર્વ ભક્તો એ સાથે મળી સેવાનુ કાર્ય કરી
પુણ્યનો લાભ લીધો. શ્રી મેલડી માતાજીના ઉપાસક શ્રી રાવળ ચમનભાઈ મંગળભાઇનો એક જ ઉપદેશ કે સારા કર્મ અને ભક્તિ દ્વારા જ દેવ આપડા ઉપર પ્રસન્ન થાય છે. તેઓ સૌ ભક્તો સાથે મળી આવા અનેક પ્રકારના સેવાકીય કાર્યો અવારનવાર કરતા રહે છે.
તેમના આ સેવાકાર્યોની આખા ઊંઝામાં પ્રશંસા થઇ રહી છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
