ઉતરાયણમાં પતંગ ની દોરી થી ઘાયલ પક્ષીઓની સારવાર અથવા સંરક્ષણ માટે રખોપુ ફાઉન્ડેશન પક્ષી બચાવો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રખોપુ ફાઉન્ડેશન અને વન વિભાગ ના સહયોગથી તારીખ ૧૩,૧૪ અને ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ અબોલ જીવ માટે મેડિકલ સેવાનું કેમ્પ નું આયોજન કરવામાં આવેલું છે નાગરિકોને પક્ષીઓના જીવને જોખમ થી બચાવવા માટે અનુરોધ કરવામાં આવે છે સવારે ૯:૦૦ પહેલા અને સાંજે ૫:૦૦ પછી પતંગ ઉડાડવાનો ટાળીએ આ ઉપરાંત ચાઈનીઝ કે કાચના માંઝા વાળી દોરીનો ઉપયોગ ન કરીએ ઉતરાયણ પછી પતંગની નકામી દોરીનો નાશ કરવા તેમજ સાંજે ફટાકડા ન ફોડવા ઉચા આવાજે ડીજે ન વગાડવું તથા આજુબાજુ ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો રખોપુ ફાઉન્ડેશન હેલ્પલાઇન નંબર : ૯૬૬૨૯૭૦૦૨૦ અથવા વન વિભાગ ૮૩૨૦૦૦૨૦૦૦ કે ૧૯૬૨ આ નંબર ઉપર જાણ કરવી રખોપૂ ફાઉન્ડેશન પાલનપુરમાં 365 દિવસ અને 24 કલાક અબોલ પક્ષી તથા પ્રાણીઓ માટે સારવાર આપતી તથા નિસ્વાર્થ કામ કરતી સંસ્થા છે
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
