લાઠી અને દામનગર રોડ વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલા નાળા અને પુલીયાને નવું જીવન મળવા જઈ રહ્યું છે. લાઠી બાબરાના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાના પ્રયાસોથી સરકાર પાસેથી અંદાજિત એક કરોડની ગ્રાન્ટ મંજુર કરાવી
લાઠી અને દામનગર રોડ પરના જર્જરિત પથ્થરના નાળા અને પુલીયાને આરસીસીના બનાવવામાં આવશે.
લાઠી અને દામનગર રોડ પર આવેલા આ નાળા અને પુલીયા વર્ષોથી જર્જરિત હતા, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમના પ્રયાસો સફળ રહ્યા અને સરકારે એક કરોડ ની ગ્રાન્ટ મંજુર કરી
આ ગ્રાન્ટ મળવાથી લાઠી અને દામનગર પંથકના લોકોમાં ખુશીનો માહોલ છે. વર્ષોથી જર્જરિત નાળા અને પુલીયા નવા બનવાથી લોકોને રાહત થશે અને તેમનું જીવન સરળ બનશે. ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ આ વિકાસ કાર્ય માટે સરકારનો આભાર માન્યો છે અને આ વિસ્તારના લોકોને શુભકામનાઓ પાઠવી છે.
માત્ર વિકાસ ના કામોને મહત્વ આપી લોકો નો વિશ્ર્વાસ જીત લાઠી દામનગર બાબરા પંથકમાં ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા ની કામગીરી લોકો મા ખુશી જોવા મળી રહી છે
ઘારાસભ્ય જનકભાઈ તળાવિયાએ હંમેશા વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપી છે. તેઓ વાદ-વિવાદમાં ન પડી વિકાસ કાર્યોમાં વ્યસ્ત રહે છે. લાઠી અને દામનગર રોડ પરના આ નાળા પુલીયા ની મંજૂરી આવતા લોકો મા ખુશી નો માહોલ સર્જાયો હતો
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
