February 12, 2025 11:51 pm

બાબરા-વાસાવડ-ગોંડલ રોડ પરના જર્જરીત નાળાં પુલિયાને નવા બનાવવા માટે ધારાસભ્ય જનક તળાવિયાએ અંદાજીત 23 કરોડ 65 લાખ મંજૂર કરાવ્યા

બાબરા: લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા હંમેશા લોકોની સાથે રહીને લોકહિતના કાર્યો કરતા આવ્યા છે. પછી તે રોડ-રસ્તાની સુવિધા હોય, આરોગ્યલક્ષી સુવિધા હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય, તેઓ સતત લોકો માટે કાર્યરત રહે છે.

તાજેતરમાં, બાબરા-વાસાવડ-ગોંડલ રોડ પર આવેલા જૂના અને જર્જરીત નાળાં પુલિયાની સમસ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ પુલિયા ઘણા સમયથી જર્જરીત અવસ્થામાં હતા, જેના કારણે અકસ્માતો થવાની સંભાવના પણ રહેતી હતી.

જનકભાઈ તળાવિયાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. તેમની સતત પ્રયાસોના પરિણામે સરકારે આ જર્જરીત નાળાં પુલિયાને આરસીસીના નવા બનાવવા માટે અંદાજિત રૂ. 23 કરોડ 65 લાખનો ખર્ચ મંજૂર કર્યો છે.

આ નાળાં પુલિયાના નવીનીકરણથી આ વિસ્તારના લોકોને મોટી રાહત મળશે. જર્જરીત પુલિયાના કારણે થતી મુશ્કેલીઓ દૂર થશે અને સલામત મુસાફરીનો અનુભવ થશે.

આ મહત્વના કાર્ય માટે વિસ્તારના લોકોએ ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો આભાર માન્યો હતો અને તેમના લોકહિતના કાર્યોની પ્રશંસા કરી હતી.

રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

અમરેલી જિલ્લા ના કુકાવાવ તાલુકા અનુસુચિત જાતિ સમાજ ના અગ્રણી શ્રી વાલજીભાઈ પરમાર ના ખબર અંતર પૂછવા ગયેલા જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સર્વ શ્રી સોમાભાઈ બગડાએ સાલ ઓઢણી સન્માન કર્યું

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

અમરેલી જિલ્લા ના કુકાવાવ તાલુકા અનુસુચિત જાતિ સમાજ ના અગ્રણી શ્રી વાલજીભાઈ પરમાર ના ખબર અંતર પૂછવા ગયેલા જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સર્વ શ્રી સોમાભાઈ બગડાએ સાલ ઓઢણી સન્માન કર્યું