લાઠી શહેરમાં રાષ્ટ્ર સંત પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિશુલ્ક છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે, એ દરેક નાના-મોટા પરિવારો માટે આશીર્વાદરૂપ થયેલ છે. જાણવા મુજબ આજે 200 કુટુંબને એક એક લીટર છાશ આપી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે. આ વિતરણ વ્યવસ્થા લાઠી મહાકાળી નવરાત્રી નાટક મંડળ સભ્યો દ્વારા છાસ વિતરણ સેવાકીય કામ કરવામાં આવેલ. અને લાઠીના પ્રજાજનોને આનંદની અનુભૂતિ થઈ હતી.
વિનુભાઈ પરમાર દામનગર
