Unjha | આજે વદ ચોથ હોવાથી સખ્ત ગરમીમાં પણ ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓની લાઈનો લાગી.

આજે 16-05-25 વદ ચોથ ને શુક્રવારે ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને ભક્તોની ભારે ભીડ જામી.

ચોથના પવિત્ર દિવસે વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી પ્રસન્નતા અનુભવતા હોય છે.

કળિયુગના જીવંત દેવ મનાતા સિંદૂરીયા ડાભી સુંઢાળા આ દાદાનું મંદિર 1200 વર્ષ જૂનું હોવાનું મનાય છે.

દિવસે દિવસે વધતા જતા દર્શને આવનાર દાદાના ભક્તો માટે શ્રી ગણપતિ મંદિર સંસ્થાના વહીવટદારો ખુબ સારી રીતે ભક્તોને સેવા પુરી પાડતા હોય છે.

સ્વયંસેવકોની ટીમ પણ સેવા આપવા ખડે-પગે તૈયાર જ રહે છે.

ચોથના આ દિવસે ભક્તોની સેવા હેતુ ચા – પાણી અને ઉપવાસીઓ માટે ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કાયમ હોય છે.

અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें