Radhanpur | રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાધનપુર, એ.આર. (એબીએનએસ): પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાનો હેતુ રાષ્ટ્રપ્રેમ અને શહીદોની શૌર્યગાથા માટે સમર્પિત ભાવના વ્યક્ત કરવો હતો.

જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેનાએ સંચાલિત કરેલા ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આતંકનો મક્કમ જવાબ આપ્યો હતો. એના ગૌરવસ્વરૂપે રાધનપુરના ગાયત્રી મંદિરથી રામજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.

યાત્રા દરમિયાન સમગ્ર શહેર “ભારત માતા કી જય”ના નાદોથી ગુંજી ઉઠ્યું હતું. યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો એ વિવિધ સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓએ તિરંગા લઈને યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ યાત્રા રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશભક્તિના ભાવને વધુ મજબૂત બનાવવા માટે એક પ્રેરણાદાયી પગલાં બની રહી. રાધનપુરના લોકોએ ભારતીય સેનાના શૌર્યને કુરબાનીઓ સાથે સ્મરણ કરી, ‘મા ભારતી’ને વંદન કર્યું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें