Patan | કેબિનેટ મંત્રીના પુત્રના લગ્નમાં PM મોદી ઉપસ્થિત રહ્યા, નવદંપતીને આપ્યા આશીર્વાદ

સિદ્ધપુર: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના પુત્રના લગ્ન સમારંભમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ હાજરી રહી હતી. વડાપ્રધાને નવા જીવનમાં પ્રવેશી રહેલા દંપતીને શુભકામનાઓ આપી આશીર્વાદ આપ્યા હતા.

મંત્રી બલવંતસિંહ રાજપૂતે પત્ર આપીને વડાપ્રધાનને આમંત્રિત કર્યા હતા, જેને સ્વીકારી PM મોદી લગ્ન પ્રસંગે પધાર્યા હતા. મંત્રી રાજપૂતે વડાપ્રધાનનો હાર્દિક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રેમ અને સ્નેહથી નવદંપતીને ભાવિ જીવન માટે પ્રેરણા મળશે. તેમનું આગમન જીવનમાં રાષ્ટ્રસેવાના સંકલ્પને મજબૂત બનાવશે.”

આ પ્રસંગે પધારેલા મહેમાનો માટે પણ વડાપ્રધાનની હાજરી શ્રદ્ધા અને ઉત્સાહનો વિષય બની રહી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें