ડમી પૂતળા મારફતે સમગ્ર ઘટના ક્રમનું આરોપીઓ પાસે રિકન્ટ્રક્શન કરાવ્યું…
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામ ખાતે મહિલા અને પાડોશી પ્રેમીએ એક 56 વર્ષીય આધેડની નિર્મમ હત્યા કરી મહિલાના કપડાં અને ઝાંઝરી પહેરાવી સળગાવી પ્રેમી પંખીડા ભાગ્યા હોવાની ઘટના મામલે પોલીસે સમગ્ર ઘટના અંગે સાચી હકીકત જાણવા પ્રેમી પંખીડાને ઘટના સ્થળે લઈ જઈ ડમી પૂતળા સાથે રિકન્ટ્રક્શન પંચનામું કર્યું હતું.
તપાસ અધિકારી ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું યુવક ભરતને વૌવા ગામે રવેચી માતાના મંદિર પાસેથી હરજીભાઈ સોલંકી મળી ગયા હતા તે તેમને બાઈક પર બેસાડી ગામની સીમમાં ખેતરમાં લઈ ગયો હતો ત્યાં તેમનું ગળું દબાવ્યું હતું ત્યાંથી બાઈક પર બેસાડી કમરે દોરડું બાંધી તેમનાં હાથ બાંધી દીધા હતા ત્યાંથી તેમને નવા જાખોત્રા લઈ ગયો હતો. ત્યાં ગીતા તેના કપડાં પેટ્રોલ લઈ આવી હતી.બંને જણાએ હરજીભાઈ સોલંકીને ગીતાનાં કપડાં પહેરાવી ઝાંઝરી પહેરાવી હતી બાદમાં પેટ્રોલ છાંટી આગ ચાંપીને નીકળી ગયા હતા.ડમી પૂતળા મારફતે સમગ્ર ઘટના ક્રમનું આરોપીઓ પાસે રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
