આજ રોજ પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
જેમાં વધારે પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય અને વૃક્ષને કાપતા અટકાવવામાં આવે તેવી પ્રતિજ્ઞા સાથે આજરોજ આંગણવાડી કેન્દ્ર નંબર 9 ઉપર વૃક્ષારોપણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં નાના નાના ભૂલકાઓ એ પણ છોડ લગાવ્યા અને વૃક્ષોનું જતન કરવા અંગે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી
આ ઉપરાંત પર્યાવરણને સાચવવા માટે સિંગલ પ્લાસ્ટિકનો યુઝ અટકાવવો પ્લાસ્ટિકનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો તેના વિશેની સમજ આપવામાં આવી હતી. અંતમાં તમામ વાલીઓ બાળકો અને કાર્યકર બહેનોએ મળીને વૃક્ષારોપણની ઉજવણી કરી. જેમા આગણવાડી ની કાર્યકર બહેન હીનાબેન ઠક્કર. વીમુબેન . તેમજ વિધિબેન ગોકલાની હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર. ભાભર તાલુકા સીડીપીઓ હંસાબેન પંડ્યા. સુપરવાઇઝર સોનલબેન બારૈયા. પાપા પગલી ના સંગીતાબેન. એન એન એમ કોડીનેટર કિશનભાઇ. ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.
